બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
Priyakant
Last Updated: 11:20 AM, 11 August 2023
અમદાવાદમાં ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે. વિગતો મુજબ ગત મોડીરાત્રે અમદાવાદના એલીસબ્રીજ પર હીટ એન્ડ રનની ઘટના બની હતી. પ્રાથમિક વિગતો મુજબ આ ઘટનામાં એક યુવકનું મોત થયું છે. ઘટનાને લઈ લોકો ભેગા થઈ ગયા હતા. આ તરફ અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો.
અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ અકસ્માતની ઘટના બાદ વધુ એક અકસ્માતમાં યુવકનું મોત થયું છે. વાત જાણે એમ છે કે, મોડીરાત્રે અમદાવાદના એલિસબ્રિજ પરથી જમાલપુર વિસ્તારનો સાહિલ અજમેરી નામનો યુવક બાઈક લઈ પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન અચાનક એક બેફામ કારચાલકે બાઇકને અડફેટે લેતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા બાદ તેનું મોત થયું હતું.
Ahmedabad Accident : ઇસ્કોન બાદ હવે એલિસબ્રિજ પર અકસ્માત: એલિસબ્રિજ પર કાર ચાલકે બાઇક સવારને હડફેટે લેતા બાઇક સવારનું મોત, જમાલપુર વિસ્તારના સાહીલ અજમેરી નામના યુવકનું મોત, કાર ચાલક અકસ્માત સર્જીને ફરાર#gujaratnews #ahmedabadnews #accident #vtvgujarati pic.twitter.com/mD5pPx88D8
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 11, 2023
અમદાવાદમાં બેફામ કાર ચાલકોના ભોગે નિર્દોષ ગુમાવી રહ્યા છે જીવ
નોંધનીય છે કે, તાજેતરમાં જ અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલ નામના નબીરાએ બેફામ સ્પીડે જેગુઆર કાર ચલાવીને અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા હતા. તે બાદમાં મણિનગર સહિત અનેક વિસ્તારોમાં પણ અકસ્માતની ઘટના સામે આવી હતી. આ દરમિયાન હવે શહેરના એલિસબ્રિજ પર અકસ્માતની ઘટનામાં એક યુવકે જીવ ગુમાવ્યો છે. આ તરફ અકસ્માત સર્જીને કારચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ