બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / bihar cm nitish kumar one consuming spurious liquor will die chhapra hooch tragedy
Dhruv
Last Updated: 12:36 PM, 15 December 2022
બિહારમાં દારૂબંધી લાગુ છે પરંતુ ઝેરી દેશી દારૂના કારણે થયેલા મોતને લઈને સરકાર હાલ સવાલોના વર્તુળમાં ઘેરાઇ ગઇ છે. બિહાર વિધાનસભાના શિયાળુ સત્રમાં પણ ભાજપ સતત નીતિશ કુમાર (CM નીતીશ કુમાર) ને ઘેરી રહી છે અને આ અંગે ભાજપ જવાબ માંગી રહ્યું છે. ભાજપ સતત નીતિશ કુમારના રાજીનામાની માંગ કરી રહ્યું છે. દરમ્યાન સીએમ નીતિશ કુમારે આ અંગે મોટું નિવેદન આપતા જણાવ્યું કે, 'દેશભરમાં ઝેરી દારૂના કારણે લોકોના મોત થાય છે. બિહારમાં દારૂબંધી સફળ છે.'
Chapra hooch tragedy | Last time, when people died due to spurious liquor, someone said they should be compensated. If someone consumes liquor, they'll die - example is before us. This should be condoled, those places should be visited & people be explained: Bihar CM Nitish Kumar pic.twitter.com/JCjY439kL0
— ANI (@ANI) December 15, 2022
ગમે તેટલા સારા કામ કરો તો પણ કોઈ ને કોઈ તો ખોટું કરશે જ: નીતિશકુમાર
બિહારમાં દારૂબંધી અંગે ઉઠાવવામાં આવેલા સવાલ પર નીતિશ કુમારે કહ્યું કે તમામ પક્ષોના લોકોએ સાથે મળીને આ નિર્ણય લીધો છે. એક બાદ એક લોકોએ શપથ લીધા હતા. સમાજમાં તમે ગમે તેટલા સારા કામ કરો તો પણ કોઈ ને કોઈ તો ખોટું કરશે જ. ગુનાખોરી રોકવા માટે કાયદા બન્યા છે, પરંતુ તેમ છતાં હત્યાઓ થાય છે. ભાજપ રાજીનામાની માંગ કરી રહી છે. એમ કહીને કે આ કાયદાથી કોઈ ફાયદો નથી. તેની પર નીતીશ કુમારે કહ્યું કે દારૂબંધીના કાયદાથી અનેક લોકોને ફાયદો છે.
નીતિશ કુમારે કહ્યું કે, “જ્યારે બિહારમાં દારૂબંધી ન હોતી ત્યારે પણ લોકો નકલી દારૂ પીને મૃત્યુ પામતા હતા. અન્ય રાજ્યોમાં પણ આવી ઘટનાઓ બને છે. લોકોએ સતર્ક રહેવું જોઈએ. બિહારમાં દારૂ પર પ્રતિબંધ હોવાથી કોઈને કોઈ નકલી વેચાશે, લોકો તે પીને મૃત્યુ પામ્યા છે. નીતિશ કુમારે કહ્યું કે દારૂ એ ખરાબ આદત છે. તેને ના પીવો જોઇએ.'
ગરીબોને ન પકડો, આ ધંધો કરનારાઓને પકડો: નીતિશકુમાર
બિહારના CM નીતિશ કુમારે કહ્યું કે, મે અધિકારીઓને કહ્યું છે કે ગરીબોને ન પકડો, આ ધંધો કરનારાઓને પકડો." દારૂબંધીના કાયદાથી ઘણા લોકોને ફાયદો છે, ઘણા લોકોએ દારૂ છોડી દીધો છે. નીતીશે અપીલ કરી હતી કે કોઈએ દારૂ સાથે જોડાયેલો ધંધો ન કરવો જોઈએ અને કોઈ બિઝનેસ કરે, જરૂરિયાત પડી તો સરકાર અન્ય ધંધા માટે 1 લાખ રૂપિયા સુધી આપવા તૈયાર છે.
The liquor ban has benefitted several people. A large number of people have given up alcohol...This is good. Several people have happily accepted this. But there are some troublemakers. I have told officers to identify the actual troublemakers and nab them: Bihar CM Nitish Kumar pic.twitter.com/Z8SMrUJtMQ
— ANI (@ANI) December 15, 2022
તમને જણાવી દઇએ કે, બિહારના સારણમાં ઇસુઆપુર અને મશરક સ્ટેશન ક્ષેત્રમાં કથિત રીતે ઝેરી દારૂ પીવાના કારણે 39 લોકોના મોત થયા છે. મૃતકોના પરિવારજનોના જણાવ્યાં અનુસાર, મોત દારૂ પીવાથી થયા છે. જોકે આ મુદ્દા પર પ્રશાસન ચુપ છે. એવું કહેવાઇ રહ્યું છે કે, હાલમાં અનેક લોકો હોસ્પિટલમાં ભરતી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime