બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
સુપરસ્ટાર રજનીકાંત ને થોડા સિવસ પહેલા બ્લડ પ્રેશર, હાયપોટેન્શન અને થાકની સમસ્યાને કારણે હૈદરાબાદની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેને લઈને તેમના ફેન્સમાં ઘણી હલચલ મચી હતી. જો કે હવે કહેવામાં આવી રહ્યું છે કે રજનીકાંત ની તબિયત પહેલા કરતા ઘણી સારી છે અને આજે તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
Telangana: Actor Rajinikanth discharged from Hyderabad's Apollo Hospital.
— ANI (@ANI) December 27, 2020
He was admitted to the hospital on 25th December after showing severe fluctuation in blood pressure. https://t.co/6sPx5xC50c pic.twitter.com/cYgwVOUYge
ADVERTISEMENT
બે દિવસ પહેલા રજનીકાંતને એપોલોમાં દાખલ કરાયા હતા
ADVERTISEMENT
રજનીકાંત ને બે દિવસ તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા અને સ્વાસ્થ્યની સારી સ્થિતિને ધ્યાનમાં રાખીને હવે તેમને હોસ્પિટલ દ્વારા રજા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એપોલો હોસ્પિટલ માંથી આજે એક સત્તાવાર નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું હતું અને એવું કહેવામાં આવ્યું છે કે રજનીકાંતને એક અઠવાડિયા સુધી સંપૂર્ણ પથારીની આરામ કરવાની જરૂર છે.
મહત્વનું છે કે થોડા દિવસ પહેલા રજનીકાંત આવનારી ફિલ્મ અન્નાથેનું શૂટિંગ ચાલી રહ્યું હતું, જેમાં તેમના સેટ પર એકીસાથે આઠ જણાનો કોરોના રિપોર્ટ પોજીટીવ આવ્યો હતો, જેને લઈને ઘણી હલચલ મચી જવા પામી હતી અને તે સમયે રજનીકાંતે પોતાને બધાથી આઇસોલેટ કરી નાખ્યા હતા. જો કે તેમનો કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને તેના પછી બીજી હેલ્થ સમસ્યાઓએને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેના કારણે તેમના ફેન્સમાં ચિંતા પ્રસરી જવા પામી હતી.
ADVERTISEMENT

રાજનીતિમાં આવવાની જાહેરાત કરી ચૂક્યા છે રજનીકાંત
ADVERTISEMENT
મહત્વનું છે કે આગામી ચૂંટણીમાં રજનીકાંત ના ઊતરવાના સમાચારોને લઈને પણ તેઓ ચર્ચામાં હતા.
અભિનેતાથી રાજકારણી બનેલા રજનીકાંત ને હાલમાં અન્ય આવી કોઈ પણ ત્તિ ટાળવાનું કહેવામાં આવ્યું છે, જેનાથી COVID-19 નું જોખમ વધી જાય છે. હોસ્પિટલ તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં લખવામાં આવ્યું છે કે, 'ટ્રાન્સપ્લાન્ટ પછીની સ્થિતિ, લેબિલ હાયપરટેન્શન અને વયને જોતાં, દવાઓ અને ખોરાક ઉપરાંત એક અઠવાડિયા માટે સંપૂર્ણ બેડ રેસ્ટ અને બ્લડ પ્રેશરનું નિયમિત દેખરેખ અને ઓછામાં ઓછી શારીરિક પ્રવૃત્તિ અને સ્ટ્રેસ ન લેવાની સલાહ અપાઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.