બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Malay
Last Updated: 01:00 PM, 13 August 2023
દેશભરમાં આજથી હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત થઈ છે. ત્યારે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં આ અભિયાનને લઈ લોકોમાં ઉત્સાહનો માહોલ છે. ત્યારે આજે અમદાવાદમાં ‘હર ઘર તિરંગા’ અને 'મેરી માટી, મેરા દેશ' અભિયાન અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો હાથમાં રાષ્ટ્રધ્વજ લઈ યાત્રામાં જોડાયા હતા.
અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલે તિરંગા યાત્રાની કરાવી શરૂઆત
અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશન દ્વારા આજે ઘાટલોડિયા ચાણક્યપુરીથી નિર્ણયનગર સુધીની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રાનું શહેરના ઘાટલોડિયા ચાણક્યપુરી વિસ્તારથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સીએમ ભૂપેન્દ્ર પટેલે ફ્લેગ ઓફ કરાવ્યું હતું. આ તિરંગા યાત્રામાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી સહિતના રાજકીય નેતાઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
હજારોની સંખ્યામાં લોકો તિરંગા યાત્રામાં જોડાયા
એટલું જ નહીં 1.5 કિલોમીટર લાંબી આ તિરંગા યાત્રામાં ઈન્ડિયન આર્મી, એરફોર્સ અને નેવીના જવાનો, પોલીસકર્મીઓ સહિત હજારોની સંખ્યામાં નાગરિકો અને બાળકો જોડાયા હતા. આઝાદી પર્વ પહેલાની આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પણ જોડાયા હતા.
લોકોએ લગાવ્યા ભારત માતા કી જયના નારા
અમદાવાદના ઘાટલોડિયાથી નીકળેલી આ તિરંગા યાત્રામાં થનગનાટ છવાયો હતો. ઘાટલોડિયા ચાણક્યપુરી વિસ્તારથી ભવ્ય તિરંગા યાત્રાની શરૂઆત થયા બાદ ઘાટલોડિયાનો કે.કે નગર રોડ તિરંગામય બન્યો હતો. ચારેકોર દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો. સમગ્ર રોડ પર વંદે માતરમ્ અને ભારત માતા કી જયના લોકોએ નારા લગાવ્યા હતા. ચાણકયપુરી બ્રિજ ઉપર પણ મોટી સંખ્યામાં લોકો હાથમાં તિરંગા લઈને ઉભા રહી ગયા હતા. તો કેટલાક લોકો આ તિરંગા યાત્રાને જોવા માટે બાલ્કની અને ધાબા પર ચઢી ગયા હતા.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime