બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગર / Bhavnagar: Two children drowned in water, both died

મોતનો ખાડો / ભાવનગર: પાણી ભરેલા ખાડામાં બે બાળકો ન્હાવા પડતા મોત, રેસ્ક્યુ કરી મૃતદેહોને બહાર કઢાયા

Malay

Last Updated: 03:54 PM, 2 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bhavnagar News: ભાવનગરની હિલપાર્ક ચોકડી પાસે પાણીના ખાડામાં ડૂબી જતા બે બાળકોના મોત, પરિવારમાં ફરી વળ્યું શોકનું મોજું.

  • પાણીના ખાડામાં ન્હાવા પડેલા બે બાળકો ડૂબ્યા
  • બાળકોના ડૂબવાની જાણ સ્થાનિકોને થતા તંત્રને જાણ કરાઈ
  • ફાયર વિભાગની ટીમે બંનેના મૃતદેહ કાઢ્યા બહાર

Bhavnagar News: ભાવનગર જિલ્લામાંથી એક દર્દનાક ઘટના સામે આવી છે. જેમાં પાણીના ખાડામાં ન્હાવા પડેલા બે માસુમ બાળકોના ડૂબી જવાથી મોત નિપજ્યાં છે. ફાયર વિભાગની ટીમ દ્વારા બંને બાળકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે. હાલ બંનેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ દર્દનાક ઘટનાથી મૃતક બાળકોના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. 

અચાનક પાણીમાં ડૂબી ગયા બે બાળકો
પ્રાપ્ત વિગતો અનુસાર, ભાવનગરના સીદસર રોડ પર આવેલી હિલપાર્ક ચોકડી પાસે પાણીના ખાડામાં શિવમ મોરબીયા અને સતીષ ઠાકર નામના બે બાળકો ન્હાવા પડ્યા હતા. જે બાદ બંને બાળકો અચાનક પાણીમાં ડૂબી ગયા હતા, આ અંગેની જાણ થતાં સ્થાનિકોના ટોળે ટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા છે. તો સ્થાનિકો દ્વારા તંત્રને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. સાથે જ એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી હતી.

પરિવારમાં ભારે આક્રંદના દૃશ્યો સર્જાયાં
જે બાદ ફાયર વિભાગની ટીમે પાણીના ખાડામાં બંને બાળકોની શોધખોળ હાથ ધરી હતી. આ અંગેની જાણ બંને બાળકોના પરિવારજનો કરવામાં આવતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બંને બાળકોના મૃતદેહો પાણીમાંથી બહાર કાઢવામાં આવતા બંને બાળકોનો પરિવાર ભાંગી પડ્યો હતો. પાણીમાં ડૂબી જવાથી 2 માસૂમ બાળકોના મોત થતાં પરિવારમાં ભારે આક્રંદના દૃશ્યો સર્જાયાં હતા. જે બાદ પોલીસ દ્વારા બંને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

પંચમહાલ જિલ્લામાં પણ સર્જાઈ હતી દુર્ઘટના
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં પંચમહાલ જિલ્લામાં પણ આવી જ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ઘોઘંબા તાલુકાના ગજાપુરા ગામે એક જ પરિવારના ચાર માસૂમ બાળકોના ડૂબી જવાથી મોત થયાં હતા. ગજાપુરા ગામે રમતાં રમતાં પાણીના ખાડામાં ન્હાવા પડેલા ચાર બાળકો પાણીમાં ડૂબી જવાથી મોતને ભેટ્યાં હતાં. તેમના મૃતદેહોને સ્થાનિક તરવૈયાઓની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ દર્દનાક ઘટનામાં સર્વત્ર ગજાપુરા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ