બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Malay
Last Updated: 03:54 PM, 2 October 2023
Bhavnagar News: ભાવનગર જિલ્લામાંથી એક દર્દનાક ઘટના સામે આવી છે. જેમાં પાણીના ખાડામાં ન્હાવા પડેલા બે માસુમ બાળકોના ડૂબી જવાથી મોત નિપજ્યાં છે. ફાયર વિભાગની ટીમ દ્વારા બંને બાળકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે. હાલ બંનેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ દર્દનાક ઘટનાથી મૃતક બાળકોના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
અચાનક પાણીમાં ડૂબી ગયા બે બાળકો
પ્રાપ્ત વિગતો અનુસાર, ભાવનગરના સીદસર રોડ પર આવેલી હિલપાર્ક ચોકડી પાસે પાણીના ખાડામાં શિવમ મોરબીયા અને સતીષ ઠાકર નામના બે બાળકો ન્હાવા પડ્યા હતા. જે બાદ બંને બાળકો અચાનક પાણીમાં ડૂબી ગયા હતા, આ અંગેની જાણ થતાં સ્થાનિકોના ટોળે ટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા છે. તો સ્થાનિકો દ્વારા તંત્રને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. સાથે જ એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી હતી.
પરિવારમાં ભારે આક્રંદના દૃશ્યો સર્જાયાં
જે બાદ ફાયર વિભાગની ટીમે પાણીના ખાડામાં બંને બાળકોની શોધખોળ હાથ ધરી હતી. આ અંગેની જાણ બંને બાળકોના પરિવારજનો કરવામાં આવતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બંને બાળકોના મૃતદેહો પાણીમાંથી બહાર કાઢવામાં આવતા બંને બાળકોનો પરિવાર ભાંગી પડ્યો હતો. પાણીમાં ડૂબી જવાથી 2 માસૂમ બાળકોના મોત થતાં પરિવારમાં ભારે આક્રંદના દૃશ્યો સર્જાયાં હતા. જે બાદ પોલીસ દ્વારા બંને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
પંચમહાલ જિલ્લામાં પણ સર્જાઈ હતી દુર્ઘટના
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં પંચમહાલ જિલ્લામાં પણ આવી જ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ઘોઘંબા તાલુકાના ગજાપુરા ગામે એક જ પરિવારના ચાર માસૂમ બાળકોના ડૂબી જવાથી મોત થયાં હતા. ગજાપુરા ગામે રમતાં રમતાં પાણીના ખાડામાં ન્હાવા પડેલા ચાર બાળકો પાણીમાં ડૂબી જવાથી મોતને ભેટ્યાં હતાં. તેમના મૃતદેહોને સ્થાનિક તરવૈયાઓની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ દર્દનાક ઘટનામાં સર્વત્ર ગજાપુરા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime