બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
Kishor
Last Updated: 12:40 AM, 16 April 2023
હિન્દૂ ધર્મમાં મહત્વની ગણાતી અક્ષય તૃતીયા આગામી 22 એપ્રિલના રોજ ઉજવાશે છે. આ તહેવારની વર્ષે વૈશાખ માસમાં શુક્લ પક્ષની તૃતીયાના દિવસે ઉજવવામાં આવે છે. અક્ષય તૃતીયાને નવા કાર્યોની શરૂઆત કરવા માટે શુભ માનવામાં આવે છે. આ દિવસે કોઈપણ શુભ કાર્ય તારીખ અને સમય વગર કરી શકાય છે. એટલે કે આ દિવસે વણજોયા મુહૂર્ત હોય છે. જેમાં પણ અક્ષય તૃતીયાના દિવસે ખાસ સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. આ દિવસે લક્ષ્મી માતાજી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે.
અમુક નકામી વસ્તુઓનો નિકાલ કરવો જોઈએ
અક્ષય તૃતીયાના દિવસે ધનની દેવી માં લક્ષ્મીની પૂજા કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. એવી ધાર્મિક માન્યતા છે. આ ઉપરાંત ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પણ આવે છે. આથી મા લક્ષ્મીની કૃપા મેળવવા માંગતા લોકોએ અક્ષય તૃતીયા પહેલા ઘરમાં પડેલી અમુક નકામી વસ્તુઓનો નિકાલ કરવો જોઈએ. અક્ષય તૃતીયા પહેલા ઘરમાંથી સૂકા છોડ અને સૂકા ફૂલના છોડનો નિકાલ કરવો જોઈએ.
જૂની સાવરણી બદલવી જોઈએ
ઉપરાંત આ વસ્તુઓ ઘરમાં વાસ્તુ દોષ બનાવે છે. આ સિવાય ઘરમાં પડેલા તૂટેલા વાસણો પણ બહાર ફેંકી દો. તૂટેલા વાસણો પણ ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે. દિવાળીની જેમ અક્ષય તૃતીયા પર તુટેલી જૂની સાવરણી બદલવી જોઈએ. ઘરમાં રાખેલી સાવરણી તૂટી ગઈ હોય તો તેને અક્ષય તૃતીયા બદલી નાખવી જોઈએ. મહત્વનું છે કે તૂટેલી સાવરણી ઘરમાં રાખવાથી દરિદ્રતા આવે છે. તૂટેલી સાવરણી ઘરમાં હોય તો માં લક્ષ્મીનો ઘરમાં વાસ થતો નથી!
વધુમાં ઘરમાં રહેલા તૂટેલા વાસણોનો પણ નિકાલ કરવો જોઈએ. ઘરમાં તૂટેલા વાસણને કારણે ઘરમાં વાસ્તુ દોષ થાય છે. આથી દુઃખ વધે છે. ધાર્મિક માન્યતા છે કે જે ઘરમાં કકળાટ હોય તે ઘરમા ધનની દેવીનો વાસ ક્યારેય થતો નથી! અમુક લોકોના ઘરના મુખ્ય દરવાજા ડસ્ટબિન જોવા મળતી હોય છે ત્યારે આ સ્થળે ક્યારેય ડસ્ટબીન રાખવી ન જોઈએ. જો આવું કરવામાં આવે તો માતા ક્રોધિત થઈ જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો