બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
VTV / Bandh announced in Manipur's Churachandpur due to the killing of students, internet shutdown till October 6
Priyakant
Last Updated: 09:22 AM, 2 October 2023
Manipur Violence News : મણિપુરમાં ફરી એકવાર સ્થિતિ નાજુક બનતી જોવા મળી રહી છે. વાત જાણે એમ છે કે, કેન્દ્રીય તપાસ એજન્સીઓએ બે વિદ્યાર્થીઓના અપહરણ અને હત્યાના કેસમાં 4 આરોપીઓની ધરપકડ કરી છે. રાજ્ય સરકારનું કહેવું છે કે, આરોપીઓને મહત્તમ સજા સુનિશ્ચિત કરવામાં આવશે. આ દરમિયાન તેમની ધરપકડના વિરોધમાં ઈન્ડીજીનસ ટ્રાઈબલ લીડર્સ ફોરમ (ITLF) સહિત અન્ય આદિવાસી સંગઠનોએ સોમવાર, 2 ઓક્ટોબરના રોજ સવારે 10 વાગ્યાથી ચૂરાચંદપુર જિલ્લામાં સંપૂર્ણ બંધનું આહ્વાન કર્યું છે. સ્થિતિને જોતા મણિપુર સરકારે મોબાઈલ ઈન્ટરનેટ પરનો પ્રતિબંધ 6 ઓક્ટોબર સુધી લંબાવ્યો છે.
વાસ્તવમાં મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે રવિવારે કહ્યું કે, CBIએ બે મણિપુરી વિદ્યાર્થીઓના અપહરણ અને હત્યાના કેસમાં ચાર લોકોની ધરપકડ કરી છે અને સરકાર તેમને મહત્તમ સજા સુનિશ્ચિત કરશે. મુખ્ય આરોપીની પત્ની સહિત ચારેયને સ્પેશિયલ ફ્લાઈટમાં રાજ્યની બહાર લઈ જવામાં આવ્યા છે. બીજી તરફ કુકી સમાજના સંગઠનોએ આ ધરપકડોને અપહરણ ગણાવીને વિરોધ કર્યો છે. તેઓએ રવિવારે રાત્રે ચુરાચંદપુર પોલીસ સ્ટેશનની બહાર મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમજ 1 ઓક્ટોબરથી ચુરાચંદપુરના વિવિધ વિસ્તારોમાં અલગ-અલગ સમયગાળા માટે બંધનું એલાન આપવામાં આવ્યું છે.
ITLF દ્વારા ચુરાચંદપુરમાં બંધનું એલાન
મણિપુરના માન્ય આદિવાસી જૂથ ITLF એ ધરપકડના વિરોધમાં સોમવારે સવારે 10 વાગ્યાથી ચુરાચંદપુર જિલ્લામાં અનિશ્ચિત હડતાળનું આહ્વાન કર્યું હતું અને સરકારને અલ્ટીમેટમ આપ્યું હતું કે તેઓને 48 કલાકની અંદર મુક્ત કરવામાં આવે. ચુરાચંદપુર સ્થિત જોઈન્ટ સ્ટુડન્ટ બોડી (JSB) એ પણ સોમવારે સવારે 6 વાગ્યાથી જિલ્લામાં 12 કલાકના બંધનું આહ્વાન કર્યું છે.
ITLF દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, લામકામાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા 2 સગીર સહિત 7 કુકી-ઝોના અપહરણના કિસ્સામાં વિવિધ સંસ્થાઓની સંયુક્ત બેઠકમાં નીચેના નિર્ણયો લેવામાં આવ્યા હતા. લામકાના નાગરિક સમાજ સંગઠનો લેવામાં આવ્યા છે.
ઈન્ટરનેટ પ્રતિબંધ 6 ઓક્ટોબર સુધી લંબાવાયો
મણિપુર સરકારે રવિવારે રાજ્યમાં મોબાઈલ ઈન્ટરનેટ પ્રતિબંધને તાત્કાલિક અસરથી વધુ પાંચ દિવસ માટે લંબાવ્યો છે. મતલબ કે હવે મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ 6 ઓક્ટોબર સુધી સ્થગિત રહેશે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ જુલાઈમાં ગુમ થયેલા બે મેઇટી વિદ્યાર્થીઓની હત્યાના સંબંધમાં ચાર લોકોની ધરપકડ કર્યાના કલાકો પછી આ જાહેરાત કરવામાં આવી છે. હત્યા સંબંધિત વ્યાપક વિદ્યાર્થીઓના વિરોધને પગલે શરૂઆતમાં 26 સપ્ટેમ્બરે પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.
રાજ્ય સરકાર દ્વારા રવિવારે જાહેર કરાયેલ એક નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, સંભવ છે કે કેટલાક અસામાજિક તત્વો મોટા પાયે સોશિયલ મીડિયાનો ઉપયોગ તસવીરો, દ્વેષપૂર્ણ ભાષણો અને જાહેર લાગણીઓને ઉશ્કેરતા નફરતભર્યા વિડિયો સંદેશાઓ ફેલાવવા માટે કરે છે, જે ગંભીર હોઈ શકે છે.
જુલાઈથી ગુમ થયેલા વિદ્યાર્થીઓની તસવીરો થઈ હતી વાયરલ
મણિપુરમાં જુલાઈથી ગુમ થયેલા બે વિદ્યાર્થીઓની હત્યાનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો હતો. આ બંને 6 જુલાઈથી ગુમ હતા. તસવીરો પરથી લાગે છે કે તે બંનેની હત્યા બાદ ક્લિક કરવામાં આવી હતી. પ્રથમ તસવીરમાં બંને ઘાસના મેદાનમાં બેઠેલા જોવા મળ્યા હતા. જોકે બીજી તસવીરમાં તેની હત્યા થયાનું જણાઈ રહ્યું હતું. આ ફોટોમાં તેની પાછળ બે હથિયારધારી લોકો પણ જોવા મળી રહ્યા છે. વિદ્યાર્થીઓની ઓળખ 17 વર્ષની છોકરી હિઝામ લિન્થોઈંગામ્બી અને 20 વર્ષના છોકરા ફિઝામ હેમજીત તરીકે થઈ હતી.
180થી વધુ લોકોના મોત
મણિપુરના પહાડી જિલ્લાઓમાં 3 મેના રોજ 'આદિવાસી એકતા માર્ચ'નું આયોજન કર્યા બાદ ફાટી નીકળેલી જાતિ હિંસામાં અત્યાર સુધીમાં 180થી વધુ લોકોના મોત થયા છે. આ હિંસામાં 3 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. હિંસા પર કાબૂ મેળવવા અને રાજ્યમાં સ્થિતિ સુધારવા માટે મણિપુર પોલીસ ઉપરાંત લગભગ 40 હજાર કેન્દ્રીય સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. જો કે આ પછી પણ મણિપુરમાં હિંસા અટકી રહી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
Rashi Parivartan 2024 / ખુશીઓની લહેર! 12 મેએ શનિ બદલશે ચાલ, આ 5 રાશિઓ જશ્ન મનાવવા રહે તૈયાર