બદ્રીનાથ ધામના કપાટ સવારે 4.30 વાગ્યે વદ આઠમ તિથિ ઘનિષ્ઠા નક્ષત્રમાં ખોલવામાં આવ્યો. આ મંદિરને ભવ્ય રીતે શણગારવામાં આવ્યુ છે. અહીં પહેલી પૂજા PM મોદીના નામે કરવામાં આવી.
પૂજામાં દેશના કલ્યાણ અને આરોગ્યતાની પ્રાર્થના કરવામાં આવી. આ સમયે કોરોનાવાઇરસના કારણે લોકડાઉન છે, એવામાં કપાટ ખોલતી સમયે અહીંયા 28 લોકો ઉપસ્થિત રહ્યા હતા. ઋષિકેશની શ્રી બદ્રીનાથ ફુલ સમિતિ દ્વારા 10 હજાર કિલોથી વધારે ફૂલો દ્વારા મંદિરને સજાવવામાં આવ્યું છે.
ચારધામ યાત્રામાં આ મંદિરો કપાટ ખોલવાની પ્રક્રિયાને કપાટોદ્ઘાટન કહેવામાં આવે છે. જેમાં મુખ્ય પૂજારી રાવલ, ધર્માધિકારી ભૂવનચંદ્ર ઉનિયાલ, રાજગુરુ સહિતના 28 લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન માસ્ક અને સોશ્યલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવામાં આવ્યુ હતુ. બાબા બદ્રીનાથના કપાટ ખોલતા પહેલા સમગ્ર મંદિરના પરિસરને સેનેટાઇઝ કરવામાં આવ્યુ હતુ. બદ્રીનાથ ધામ પહોંચીને ભગવાન બદ્રીવિશાળના જન્મસ્થાન લીલા ઢૂંગીમાં રાવલ નંબૂદરી દ્વારા પૂજા-અર્ચના કરવામાં આવી.
#WATCH Uttarakhand: The portals of Badrinath Temple opened at 4:30 am today. 28 people including the Chief Priest was present at the temple when its portals opened. (Video Source: ITBP) pic.twitter.com/Yr6pamv7Kk
સવારે 3 વાગ્યે કપાટ ખોલવાની પ્રક્રિયા શરૂ થઇ જશે. કુબેરજી, ઉદ્વવજી, તલના તેલનો કળશ દક્ષિણ દ્વારથી મંદિર પરિસરમાં રાખવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ રાવલ, ધર્માધિકારી અને અન્ય અધિકારીઓની હાજરીમાં કપાટ ખોલવાની પ્રક્રિયા શરૂ થઇ હતી. ઠીક 4.30 વાગ્યે કપાટ ખોલવામાં આવ્યાં હતા. કપાટ ખોલ્યાં બાદ માતા લક્ષ્મીજીને પરિસરમાં સ્થિત મંદિરમાં સ્થાપિત કરવામાં આવ્યાં. આ વર્ષે કોરોનાવાઇરસના કારણે લોકડાઉન છે. જોશીમઠના એસડીએમ કાર્યાલયથી મળેલી જાણકારી પ્રમાણે કપાટ ખોલતી વખતે લગભગ 28 લોકો જ ઉપસ્થિત રહ્યાં હતાં.