બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
VTV / badrinath dham door opening 2023 miracle happened with badrinath idol auspicious sign for the country
Manisha Jogi
Last Updated: 11:40 AM, 28 April 2023
ગુરુવારે બરફવર્ષા અને પુષ્પવર્ષાની સાથે સવારે 07:10ની સાથે બદ્રીનાથ ધામના કપાટ ખોલી દેવામાં આવ્યા છે. વૈદિક મંત્રોચ્ચાર અને જય બદ્રીનાથના જયઘોષ સાથે કપાટ ખોલ્યા પછી ચમત્કાર સર્જાયો છે. તીર્થ પુરોહિત આ બાબતને શુભ સંકેત ગણાવી રહ્યા છે.
કપાટ ખુલ્યા પછી પણ ભગવાન બદ્રીનાથને ઓઢાડવામાં આવેલ ઘૃત ધાબળા (ઘીમાં પલાળેલ ઊનનો ધાબળો) પર તાજુ ઘી મળ્યું છે. બદ્રીનાથના ધર્મ અધિકારી રાધાકૃષ્ણ થપલિયાલે જણાવ્યું કે, ઘૃત ધાબળા પર તાજુ ઘી હોય તો તેનાથી દેશમાં ખુશી જળવાઈ રહેશે. ગયા વર્ષે પણ ધાબળા પર તાજુ ઘી હતું. બહાર ખૂબ જ ઠંડી હોવા છતાં પણ ઘી સુકાય નહીં તો તેને ચમત્કાર ગણવામાં આવે છે.
ધાર્મિક પરંપરા અનુસાર કપાટ બંધ થાય તો ભગવાન બદ્રીનાથને ઘૃત ધાબળો ઓઢાડવામાં આવે છે. આ ધાબળો વિશેષરૂપે માણા ગામની મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે. કન્યાઓ તથા સુહાગણ એક જ દિવસમાં આ ધાબળો તૈયાર કરે છે.
જે દિવસે આ ઘૃત ધાબળો બનાવવામાં આવે છે, ત્યારે કન્યા અને મહિલાઓ ઉપવાસ કરે છે. શીતકાળ પછી કપાટ ખુલે ત્યારે આ ધાબળો હટાવી દેવામાં આવે છે.
ધાબળા પરનું ઘી વધુ ના સુકાય તો દેશમાં ખુશી રહે છે. ધાબળા પરનું ઘી સુકાઈ ગયું હોય તો દેશમાં અતિવૃષ્ટી અને અનાવૃષ્ટીની સંભાવના રહે છે.
કપાટ ખુલ્યા પછી બપોરે 11 વાગ્યે બદ્રીનાથ ધામમાં મહાભિષેકની પૂજા શરૂ થઈ હતી. પહેલી પૂજા પ્રધાનમંત્રીના નામથી થઈ હતી અને બીજી પૂજા મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીના નામથી શરૂ થઈ હતી. ત્યારપથી વિધિવત રીતે પૂજા પૂર્ણ થઈ હતી. સવારે સાડા દસ વાગ્યા સુધી તીર્થયાત્રીઓએ બદ્રીનાથના નિર્વાણ સ્વરૂપના દર્શન કર્યા હતા. ત્રણ વાગ્યે બદ્રીનાથને ભોગ લગાવવામાં આવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ