બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / baba-ramdev-who-will-be-taking-tv-reality-show-om-shanti-om

NULL / ટૂંક સમયમાં ટીવી રિયલિટી શો લાવી રહ્યા છે બાબા રામદેવ જેમાં હશે ભજનની રમઝટ

vtvAdmin

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

મુંબઇઃ યોગ ગુરૂ બાબા રામદેવ વિશ્વભરમાં પોતાનો બિઝનેસ ફેલાવ્યા બાદ હવે ટીવી ઇન્ડસ્ટ્રીઝમાં પોતાનું ડગ માંડવા જઇ રહ્યા છે. બાબા રામદેવ ટુંક સમયમાં શરૂ થવા જઇ રહેલ ટીવી રિયલિટી શો 'ઓમ શાંતિ ઓમ'નો ભાગ બનવા જઇ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ શો પહેલા એપિસોડને બાજીરાવ રણવીર સિંહ હોસ્ટ કરશે.

મીડિયા રિપોર્ટ અનુસાર આ શોનો પહેલો એપિસોડ રણવીર સિંહ  અને ત્યારબાદ અપારશિક્ત ખુરાના આ શોને હોસ્ટ કરશે. રિપોટ્સ અનુસાર રણવીર સિંહ પોતાની ફિલ્મ બાજીરાવ મસ્તાનીના સોન્ગ સાથે આ શોની શરૂઆત કરશે.

જણાવી દઇએ કે સ્ટાર ભારતનો અપકમિંગ રિયલિટી શો ઓમ શાંતિ ઓમ ભજનના કોન્સેપ્ટ પર આધારિત હશે. બાબા રામદેવ સિવાય દબંગ ગર્લ સોનાક્ષી સિન્હા પણ આ રિયાલિટી શોનો ભાગ બનવા જઇ રહી છે. આ શોમાં બન્ને જજની ભૂમિકામાં નજરે આવશે.

આ શોની ખાસ વાત આ છે કે આમાં 14 કન્ટેસ્ટેન્ટ સામેલ હશે જે ભજન સંભળાવશે. આ શોની શરૂઆત કરવાનો મુખ્ય ઉદેશ્ય છે યૂથમાં ભજનની સમજ પેદા કરવાનો છે. જણાવાય રહ્યું છે કે 'નચ બલિયે 8'માં સોનાક્ષી સિન્હાએ જજનું સારૂ પાત્ર ભજવ્યું હતું એટલા માટે તેમને આ શો માટે જજ બનાવવામાં આવી રહી છે. જણાવી દઇએ કે આ શો 28 ઓગસ્ટના રોજ 6 વાગ્યે ઓનએર થશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ