બ્રેકિંગ ન્યુઝ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
VTV / Assembly election 2023 / ભારત / Politics / baba balaknath resign from lok sabha membership, Will you become the Chief Minister of Rajasthan?
Priyakant
Last Updated: 03:23 PM, 7 December 2023
Rajasthan CM News : રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદની રેસમાં સામેલ એવા બાબા બાલકનાથે લોકસભાના સભ્યપદેથી રાજીનામું ધરી દીધું છે. વાત જાણે એમ છે કે, રાજસ્થાનના અલવર જિલ્લામાંથી ધારાસભ્ય બન્યા બાદ બાબા બાલકનાથે લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. બાબા બાલકનાથ આજે લોકસભા સ્પીકર ઓમ બિરલાને મળ્યા હતા અને તેમને સંસદ સભ્યપદેથી રાજીનામું સોંપ્યું હતું.
બાબા બાલકનાથ અલવર જિલ્લાના તિજારાથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. બાબા બાલકનાથને CM બનાવવાની અટકળો ચાલી રહી છે. જોકે, ભાજપે હજુ સુધી કોઈનું નામ ફાઈનલ કર્યું નથી. રાજ્યમાં ભાજપ પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહી છે. મહત્વનું છે કે, બાબા બાલકનાથ અલવરથી સાંસદ હતા. આ સાથે રાજસ્થાનમાં બાલકનાથની સંભવિત ભૂમિકાને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે. રાજસ્થાનમાં મુખ્યમંત્રી પદની રેસમાં જે નેતાઓના નામ લેવામાં આવી રહ્યા છે તેમાં બાબા બાલકનાથનો પણ સમાવેશ થાય છે. એવી અટકળો છે કે, ભાજપ તેમને રાજસ્થાનમાં કોઈ મોટી જવાબદારી આપી શકે છે.
નવ સાંસદોના રાજીનામા સ્વીકારાયાં
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ભારતીય જનતા પાર્ટી (BJP)ના નવ સાંસદોના રાજીનામા સ્વીકારી લીધા છે જેમણે તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ બુધવારે રાજીનામું આપ્યું હતું. ગુરુવારે જ્યારે ગૃહની કાર્યવાહી શરૂ થઈ ત્યારે બિરલાએ ગૃહને આ અંગે માહિતી આપી હતી.
લોકસભાના સ્પીકરે ગૃહને જણાવ્યું કે રાજસ્થાન રાજ્યના જયપુર ગ્રામીણથી સાંસદ રાજ્યવર્ધન રાઠોડ, રાજસમંદથી દિયા કુમારી, મધ્ય પ્રદેશના મોરેનાથી નરેન્દ્ર સિંહ તોમર, દમોહથી પ્રહલાદ પટેલ, જબલપુરથી રાકેશ સિંહ, સિધીથી રીતિ પાઠક, હોશંગાબાદથી ઉદય પ્રતાપ સિંહ, છત્તીસગઢના રાયગઢથી ગોમતી સાઈ અને બિલાસપુરના અરુણ સાઓએ રાજીનામું આપ્યું છે. તેમણે કહ્યું કે, મેં 6 ડિસેમ્બર 2023થી આ સભ્યોના રાજીનામાનો સ્વીકાર કર્યો છે. કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને પ્રહલાદ સિંહ પટેલ સહિત ભાજપના 10 સાંસદોએ બુધવારે રાજીનામું આપ્યું હતું. તેમાંથી કિરોનીલાલ મીણા રાજ્યસભાના સભ્ય હતા. આ તમામ સાંસદો તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime