બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / સુહાગરાત મોતનો ભેદ ખુલ્યો! રાતે 12 વાગ્યે આવું બનતાં દુલ્હનને મારીને પંખે લટક્યો દુલ્હો, સુહાગ સેજ બની હોન્ટેડ!
Last Updated: 07:38 PM, 10 March 2025
અયોધ્યાના મુરાવન ટોલામાં નવા પરણલા શિવાની અને પ્રદીપના સુહાગરાત મોતનો મામલો વધારે રહસ્યનો બની રહ્યો છે. પોલીસ તપાસમાં હવે એવું સામે આવ્યું છે કે લગ્ન બાદ રાતના 12 વાગ્યે દુલ્હા પ્રદીપના મોબાઈલમાં એક મેસેજ આવ્યો હતો અને મેસેજ વાંચ્યા બાદ પ્રદીપ અને શિવાની વચ્ચે ઝગડો થયો હતો ત્યાર બાદ પ્રદીપે તેનું ગળુ દબાવીને હત્યા કરી અને પછી પંખે લટકીને આપઘાત કર્યો.
ADVERTISEMENT
સંબંધ બાંધતા પહેલાં બન્યું આવું
એવું પણ સામે આવ્યું છે કે દુલ્હા-દુલ્હન વચ્ચે શારીરિક સંબંધ બંધાય તે પહેલાં જ ઝગડો થયો હતો અને થોડી વારમાં તો હત્યા અને આપઘાતનો બનાવ બની ગયો.
ADVERTISEMENT
ઉત્સાહભેર લગ્નવિધિમાં ભાગ લીધો
પરિવારના સભ્યોનું કહેવું છે કે છ-સાત મહિના પહેલા બંનેની સંમતિથી સંબંધ નક્કી થયો હતો. લગ્ન પહેલા પ્રદીપ અને શિવાની બંને ફોન પર વાત કરતા હતા લગ્નની વિધિમાં પણ બન્નેએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પ્રદીપ લગ્ન પહેલા દોસ્તો સાથે ડાન્સ પણ કર્યો હતો. એકંદરે બધુ સારુ લાગતું હતું તો પછી રાતે આખરે એવું તે શું બન્યું કે બન્નેના મોત થયાં.
ADVERTISEMENT
સુહાગરાતે બેડરુમમાંથી લાશ મળી
અયોધ્યામાંથી એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં એક નવપરિણીત યુગલનું લગ્નના થોડા કલાકો પછી શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું. રવિવારે સવારે જ્યારે પરિવારના સભ્યોએ વરરાજા અને કન્યાને જગાડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે ખોલ્યો નહોતો અને મોડે સુધી દરવાજો ખખડાવવાં છતાં પણ ન ખોલવામાં આવતાં દરવાજો તોડી પડાયો હતો અને ત્યારે બેડ પરનો નજારો જોઈને પરિવારના હાંજા ગગડી ગયાં હતા. વરરાજા પ્રદીપના 7 માર્ચે લગ્ન થયાં હતા. લગ્ન બાદ કપલ સુહાગરાત મનાવવા કમરામાં ગયું પરંતુ અંદર શું બન્યું તેની કોઈને ખબર નથી. કદાચ દુલ્હાને દુલ્હનની હત્યા કરીને પછી આપઘાત કરી લીધો હોય તેવું બની શકે. સવારમાં બન્નેની લાશ મળતાં પરિવારને કમકમીયાં આવી ગયાં હતા.
ADVERTISEMENT
પરિવારને કેવી રીતે ખબર પડી?
રવિવારે સવારે 7 વાગ્યા સુધી જ્યારે કન્યા અને વરરાજા જાગ્યા નહીં, ત્યારે પરિવારના સભ્યોએ દરવાજો ખખડાવ્યો, પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં. શંકા જતાં દરવાજો તોડવામાં આવ્યો ત્યારે પ્રદીપનો મૃતદેહ પંખા સાથે લટકતો હતો અને તેની પત્ની પલંગ પર મૃત હાલતમાં પડી હતી. બંનેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. આ દુ:ખદ ઘટના બાદ, પોલીસ અને ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળેથી નમૂનાઓ એકત્રિત કર્યા. પોલીસે કહ્યું છે કે તેઓ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોશે, જેમાં મૃત્યુનું સાચું કારણ બહાર આવશે. આ ઘટના બાદ સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. વરની માતાની હાલત તો રડી રડીને પાગલ જેવી થઈ ગઈ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.