બ્રેકિંગ ન્યુઝ
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
Manisha Jogi
Last Updated: 09:32 AM, 31 July 2023
ઘરમાં ફૂલ છોડ લગાવવાથી વાતાવરણ શુદ્ધ થાય છે અને ઘર સુંદર લાગે છે. ઘરમાં ફૂલ છોડ હોય તો ઘરમાં હરિયાળીનો સંચાર થાય છે અને ધન વર્ષા થાય છે. વાસ્તુ અનુસાર ઘરમાં છોડ યોગ્ય દિશામાં લગાવવા જોઈએ, નહીંતર ઘરમાં નકારાત્મક ઊર્જાનો સંચાર થવા લાગે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં દક્ષિણ દિશામાં છોડ ના લગાવવા જોઈએ.
મની પ્લાન્ટ
મની પ્લાન્ટનો સંબંધ પૈસા સાથે હોવાનું માનવામા આવે છે. જેથી આ છોડ દક્ષિણ દિશામાં લગાવવામાં આવે તો નાણાંકીય નુકસાન થાય છે. આ કારણોસર મની પ્લાન્ટ પૂર્વ દિશામાં લગાવવો જોઈએ. મની પ્લાન્ટ યોગ્ય દિશામાં લગાવવાથી ઘરમાં ધનનો સંચાર થાય છે.
તુલસી
સનાતન ધર્મમાં તુલસીની પૂજા કરવામાં આવે છે. આ કારણોસર તુલસીનો છોડ દક્ષિણ દિશામાં ના લગાવવો જોઈએ. દક્ષિણ દિશા યમની દિશા માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર તુલસીનો છોડ ઉત્તર અથવા ઉત્તર-પૂર્વ દિશામાં લગાવવો જોઈએ.
શમીનો છોડ
વાસ્તુ અનુસાર શમીનો છોડ દક્ષિણ દિશામાં લગાવવો તે અશુભ માનવામાં આવે છે. શમીના છોડનો શનિ ગ્રહ સાથે સંબંધ છે. શમીનો છોડ પૂર્વ દિશા અથવા ઈશાન ખૂણામાં લગાવવો જોઈએ. આ પ્રકારે કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે.
કેળનો છોડ
વાસ્તુ અનુસાર કેળાનો સંબંધ ભગવાન વિષ્ણુ અને ગુરુ ગ્રહ સાથે હોય છે. આ છોડ ભૂલથી પણ દક્ષિણ દિશામાં ના લગાવવો જોઈએ. આ છોડ ઘરની બહાર, બાલ્કનીમાં ઉત્તર અથવા પૂર્વ દિશામાં લગાવી શકાય છે. દક્ષિણ દિશામાં કેળનો છોડ લગાવવાથી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતા નારાજ થઈ શકે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ