બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Armyman Vijaysinh Zhankat of Kodinar welcomed with 8 km long rally
Kishor
Last Updated: 05:37 PM, 4 September 2022
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના પણાદર ગામના આર્મીમેન વિજયભાઈ ઝંણકાટ 19 વર્ષ બાદ માદરે વતન પરત ફર્યા હતા. 19 વર્ષ સુધી માં ભારતી ભોમની રક્ષા કાજે પોતાના પ્રાણની પણ પરવાહ કર્યા વગર યશસ્વી સેવા બજાવનાર જવાન વતન પરત ભરતા તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે બાઇક રેલી યોજાઇ હતી.
સર્જીકલ સ્ટ્રાઇકએ ઇન્ડીયન આર્મી માટે ગર્વનો દિવસ
વતનમાં વિજયભાઈનું પણાદર ગામે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.તેમના આગમનને વધાવતા 8KM લાંબી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા એન જય હિન્દ તથા વંદે માતરમના નાદ ગગનમાં ગૂંજ્યા હતા. આ અવસરે આર્મીમેન વિજયભાઈએ આંતકીઓ સાથે થયેલી અથડામણના દિવસો યાદ કરતા કહ્યું હતું કે સર્જીકલ સ્ટ્રાઇકએ ઇન્ડીયન આર્મી માટે ગર્વનો દિવસ હતી. ઉપરાંત 19 વર્ષની દેશ સેવા દરમિયાન 17 વખત આતંકીઑ સાથે મૂઠભેદમાં ફાયરિંગ કરી આતંકીઓને હંફાવ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સર્જીકલ સ્ટ્રાઈકમાં આંતકી સાથે અથડામણમાં અમે 3 આંતકીને ઠાર કર્યા હતા. આ વેળાએ તેની બોડી રિકવર કરતા ગ્રેનેડ ફાટ્યો હતો જેમાં હું ગંભીર રીતે જખમી થયો હોવાનું પણ વિજયભાઈએ જણાવ્યું હતું.
અગ્નિવીર યોજના દેશ અને યુવાનો બંને માટે ફાયદાકારક
વધુમાં વિજયભાઈએ અગ્નિવીર યોજના અંગે જણાવ્યું હતું કે આ યોજનાએ સરકાર દ્વારા આર્મી, નેવી અને એરફોર્સના વડાઑ સાથે ગઠન કરીને બનાવવામાં આવી છે. જે યુવાનો માંટે અત્યંત ઉપયોગી તથા દેશ અને યુવાનો બંને માટે ફાયદાકારક હોવાનું વિજયભાઈએ જણાવ્યું હતુ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો