બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Amidst the tensions of 'Thandav', Kangana jumped up and tweeted and asked Ali Abbas Zafar- Is this the courage to work?
ADVERTISEMENT
અમેઝોન પ્રાઈમ પર હાલમાં રિલીઝ થયેલી વેબસીરીઝ તાંડવને લઈને ખૂબ જ વિવાદ થઇ રહ્યો છે, આની વચ્ચે સોમવારે તાંડવને લઈને દેશના ઘણા ભાગોમાં ના માત્ર વિરોધ પ્રદર્શન થયા પરંતુ સરકાર પણ કાર્યવાહી કરવા માટે કડક બની છે. આ વિવાદ પછી આજે સૂચના અને પ્રસારણ મંત્રાલયમાં એક બેઠક થઇ હતી, જેમાં તાંડવના મેકર્સને આ મામલે નિર્દેશ આપવામાં આવ્યા હતા. જો કે સોમવારે જ આ સિરીઝના મેકર્સ તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું જેમાં લોકોની માફી માંગવામાં આવી હતી.મહત્વનું છે કે આ સિરીઝમાં હિન્દૂ ધર્મના લોકોની ધાર્મિક શ્રધ્ધાને ઠેસ પહોંચાડવાની વાતને લઈને વિવાદ વધ્યો છે.
.jpg)
ADVERTISEMENT
ભાજપ નેતા કપિલ મિશ્રાએ પણ કર્યા પ્રહાર
આ બધાની વચ્ચે ભાજપ નેતા કપિલ મિશ્રાએ ટ્વીટ કરીને તાંડવને હટાવવાની વાત કરી હતી તેમણે કહ્યું હતું કે અલી અબ્બાસ ઝફરજી ક્યારેક પોતાના ધર્મ ઉપર પણ મૂવી બનાવીને માફી માંગી જુઓ, આ બધી અભિવ્યક્તિની આઝાડી માત્ર અમારા ધર્મ સાથે જ શા માટે છે ? ક્યારેક તમારા એક માત્ર ભગવાનની મજાક કરીને પણ શરમ અનુભવી જુઓ. તમારા ગુનાઓનો હિસાબ ભારતના કાયદા કરશે, તાંડવને હટાવવું જ પડશે, ઝેરીલું કન્ટેન્ટ પાછું ખેંચો.
ADVERTISEMENT
આ જ દરમિયાન કપિલ મિશ્રાના ટ્વીટને જ ટેગ કરીને બોલીવડ અભિનેત્રી કંગના રનૌતે લખ્યું હતું કે માફી માંગવા માટે શું બચશે? આ તો સીધું ગળું જ કાપી નાખશે, જેહાદી દેશો તો ફતવો કાઢી દે છે , લિબ્રુ મીડિયા વર્ચ્યુઅલ લીન્ચઇંગ કરી નાખે છે, તમારું ન માત્ર ખૂન કરી નાખવામાં આવશે પરંતુ તમારી મોતને જસ્ટિફાય પણ કરી દેશે. બોલો @aliabbaszafar અલ્લાહનું મજાક ઉડાડવાની હિંમત છે તમારામાં?
माफ़ी माँगने केलिये बचेगा कहाँ? ये तो सीधा गला काट देते हैं, जिहादी देश फ़तवा निकाल देते हैं लिब्रु मीडिया वर्चूअल लिंचिंग कर देती है, तुम्हें ना सिर्फ़ जान से मार दिया जाएगा बल्कि उस मौत को भी जस्टिफ़ाई किया जाएगा, बोलो @aliabbaszafar है हिम्मत अल्लाह का मज़ाक़ उड़ाने की ? https://t.co/NYASyuVS2i
— Kangana Ranaut (@KanganaTeam) January 18, 2021
ADVERTISEMENT
તાંડવને લઈને ઘેરાયો કછે વિવાદ
ADVERTISEMENT
મહત્વનું છે કે અલી અબ્બાસ ઝફર નિર્દેશિત અને સૈફ અલી ખાન, મોહમ્મ્દ ઝીશાન અય્યુબ જેવા કલાકારો ધરાવતીઆ વેબસીરીઝ હાલમાં અમેઝોન પ્રાઈમ પર થોડા દિવસો પૂર્વે જ રિલીઝ થઇ છે અને રાજનીતિ પર આધારિત છે, જો કે હિન્દૂ દેવી દેવતાઓ પરની કથિત ટિપ્પણીઓને લઈને આ સીરીઝ હાલમાં ઘણી વિવાદમાં છે અને તેને લઈને ઘણા વિરોધ પ્રદર્શનો પણ થઇ રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.