બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / વિશ્વ / Amidst tensions with India, US comes out in support of Canada, Sri Lanka says 'Canada is a safe haven for terrorists'

ભારત-કેનેડા વિવાદ / ભારત સાથેના તણાવ વચ્ચે અમેરિકા ઉતર્યું કેનેડાના સમર્થનમાં, તો શ્રીલંકાએ કહ્યું 'કેનેડા આતંકીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન'

Megha

Last Updated: 10:21 AM, 26 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે ટ્રુડોના નિવેદનથી શ્રીલંકા નારાજ થઈ ગયું છે. શ્રીલંકાના વિદેશ મંત્રીએ આ વિવાદમાં અલી સાબરીએ ભારતનું સમર્થન કર્યું છે અને કેનેડાને આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન ગણાવ્યું છે.

  • હવે જસ્ટિન ટ્રુડોના નિવેદનથી શ્રીલંકા નારાજ થઈ ગયું છે
  • એમને કેનેડાને આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન ગણાવ્યું 
  • બીજી તરફ અમેરિકાએ કહ્યું કેનેડાની તપાસ આગળ વધવી જોઈએ 

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો એ ભારત વિરુદ્ધ આરોપો લગાવ્યા બાદ ઘણા દેશો તરફથી આ મામલે નિવેદનો આવી રહ્યા છે. એવામાં હવે ટ્રુડોના નિવેદનથી શ્રીલંકા નારાજ થઈ ગયું છે. શ્રીલંકાના વિદેશ મંત્રીએ આ વિવાદમાં અલી સાબરીએ ભારતનું સમર્થન કર્યું છે અને કેનેડાને આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન ગણાવ્યું છે. સાથે જ કહ્યું કે કેનેડાના વડા પ્રધાન માટે કોઈપણ પુરાવા વિના કેટલાક ભડકાઉ આક્ષેપો કરી રહ્યું છે. 

ટ્રુડો આવા જ પાયાવિહોણા આરોપો લગાવે છે
ભારત પર ખોટા આરોપો લગાવવા બદલ ઘણા દેશોએ કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોની ટીકા કરી છે અને હવે શ્રીલંકાના વિદેશ મંત્રી અલી સાબરીએ પણ આ વિશે નિવેદન આપ્યું છે. શ્રીલંકાના વિદેશ મંત્રીએ કહ્યું કે,' જસ્ટિન ટ્રુડો આવા જ પાયાવિહોણા આરોપો લગાવે છે. અગાઉ કેનેડાના વડા પ્રધાન ટ્રુડોએ શ્રીલંકા વિરુદ્ધ ભ્રામક અને વાંધાજનક નિવેદનો આપ્યા હતા.  તેણે શ્રીલંકા વિશે એવું કહ્યું હતું કે નરસંહાર થયો હતો પણ દરેક વ્યક્તિ જાણે છે કે આપણા દેશમાં કોઈ નરસંહાર થયો નથી. ' 

 'કેનેડા આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન બની ગયું' 
આગળ એમને કહ્યું કે 'કેનેડા કેટલાક આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન બની ગયું છે અને કેનેડાની સરકાર તેમને મદદ કરી રહી છે.' શ્રીલંકાના વિદેશ મંત્રી અલી સાબરીએ વધુમાં કહ્યું કે કેનેડાના વડાપ્રધાન ટ્રુડોને કોઈ પણ દેશ સામે કોઈ પુરાવા વિના વાંધો ઉઠાવવાની અને અપમાનજનક આરોપો કરવાની જૂની આદત છે. 

દેશ આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ ધરાવે છે
ભારતમાં શ્રીલંકાના આઉટગોઇંગ હાઈ કમિશનર મેલિન્ડા મોરાગોડાએ કહ્યું છે કે કેનેડાના આરોપો પર ભારતનો જવાબ 'મજબૂત અને સીધો' છે અને કોલંબો આ મામલે નવી દિલ્હીને સમર્થન આપે છે. પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું કે શ્રીલંકાના લોકોને આતંકવાદને કારણે નુકસાન થયું છે અને તેમનો દેશ આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ ધરાવે છે.

કેનેડાની તપાસ આગળ વધવી જોઈએ અને ભારતે સહકાર આપવો જોઈએ 
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, "અમે કેનેડિયન વડા પ્રધાન ટ્રુડો દ્વારા લગાવવામાં આવેલા આરોપોથી ખૂબ જ ચિંતિત છીએ. અમે કેનેડિયન સાથીદારો સાથે ગાઢ સંપર્કમાં છીએ.'' મિલરે એક પ્રશ્નના જવાબમાં કહ્યું, ''અમે માનીએ છીએ કે આ એક મહત્વપૂર્ણ ઘટના છે. કેનેડાની તપાસ આગળ વધવી જોઈએ.અમે ભારત સરકારને કેનેડાની તપાસમાં સહકાર આપવા જાહેર અને ખાનગી રીતે અપીલ કરી છે.' 

જણાવી દઈએ કે આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની કેનેડાના સરેમાં 18 જૂને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. લગભગ ત્રણ મહિના પછી, 18 સપ્ટેમ્બરે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ અચાનક ભારતીય એજન્સીઓ પર આ હત્યા કેસમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો. જસ્ટિન ટ્રુડોના આ આરોપ બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો તંગ બની ગયા છે. વિદેશ મંત્રાલયનું કહેવું છે કે કેનેડા દ્વારા હજુ સુધી નિજ્જરની હત્યા અંગે કોઈ માહિતી શેર કરવામાં આવી નથી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ