બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Amazing lighting decoration in Ambaji
Vishnu
Last Updated: 11:30 PM, 4 September 2022
ભાદરવી પૂનમને લઇને પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે.અંબાજી મંદિર સહિત સમગ્ર અંબાજી ગામને અદભુત રોશનીથી શણગારી દેવામાં આવ્યું છે. અંબાજી મંદિરને જોઈને ભક્તો અનોખી અનુભૂતિ કરી રહ્યા છે.ચાચર ચોકમાં બેસીને આ રોશનીનો આનંદ માણી રહ્યાં છે.
તૈયારીઓ પૂર્ણ ભક્તો 5 દિવસ ભક્તોનું ઘોડાપૂર દર્શને ઉમટશે
યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે યોજાતો ભાદરવી પૂનમનો મહામેળો કોરોનાના લીધે છેલ્લા બે વર્ષથી બંધ હતો. પરંતુ હાલ બે વર્ષ બાદ આ વર્ષે તા. 5 થી 10 સપ્ટેમ્બર-022 દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે. ત્યારે આ મેળામાં લાખોની સંખ્યામાં પદયાત્રિકો માતાજીના દર્શનાર્થે આવવાની ધારણા છે. આથી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. અંબાજી આવતા પદયાત્રિકોને જરૂરી તમામ સુવિધાઓ સરળતાથી મળે અને સરસ દર્શન થાય તે માટે રેલીંગની વ્યવસ્થા કરવામાં આવી છે.
સવારે 5 વાગ્યાથી માઇભક્તો માતાજીના દર્શન કરી શકશે
તેમજ દર્શનનો સમય પણ વધારવામાં આવ્યો છે. મેળા દરમિયાન વહેલી સવારે 5 વાગ્યાથી માઇભક્તો માતાજીના દર્શન કરી શકશે. અંબાજી મંદિર પરિસર અને ગબ્બર ખાતે દર્શનાર્થીઓ માટે જરૂરી સુવિધાઓ સહિત વિવિધ વ્યવસ્થાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અંબાજીમાં યાત્રાળુઓની સુરક્ષા સુનિશ્વિત કરવા પોલીસ ડ્રોન કેમેરા, બોડી વોર્ન કેમેરા અને CCTV કેમેરાથી વોચ રાખશે. કોઇપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અંબાજીના રૂટ પર ડોગ સ્ક્વોર્ડ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવશે.
40 લાખ પ્રસાદીના પેકેટ બનાવાયા
શક્તિપીઠ અંબાજીમાં માં અંબાના ભાદરવી પૂનમના મહા મેળાની તૈયારીઓ થઈ રહી છે. 5 થી 10 સપ્ટેમ્બરે યોજનાર મહા મેળામાં લાખો શ્રદ્ધાળુઓ અંબાજી આવશે અને તેમના માટે પ્રસાદની વ્યવસ્થા ના ભાગરૂપે તૈયારીઓ શરૂ કરાય છે અંદાજિત 40 લાખ પ્રસાદના પેકેટ બનશે અને શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે અને પ્રસાદ સરળતાથી મળી રહે તે પ્રકારે રાત દિવસ 500 જેટલા લોકો આ પ્રસાદ બનાવવાના કામે લાગ્યા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો