બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
VTV / akash vijayvargiya not get ticket in mp assembly election
Arohi
Last Updated: 11:14 AM, 26 September 2023
મધ્ય પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને લઈને સોમવાર સાંજે બીજેપીના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવામાં આવી જેને જોઈને બધા જ ચોંકી ઉઠ્યા. તેમાં અમુક નામ કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદોના પણ છે. પરંતુ તેમાંથી બે નામ એવા છે જેમના દિકરા કે ભાઈ હાલમાં ધારાસભ્ય છે અને હવે ટિકિટના દાવેદાર પણ છે. આ નામ છે BJPના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય અને કેન્દ્રીય રાજ્યમંત્રી પ્રહ્લાદ પટેલ.
कांग्रेस बहरूपिया है।#BJP #bhartiyajantaparty #bhartiya_janta_party #Bjpmp pic.twitter.com/1MP0YV8xCR
— Kailash Vijayvargiya (@KailashOnline) September 25, 2023
કપાઈ જશે આકાશ વિજયવર્ગીયની ટિકિટ?
કૈલાશ વિજયવર્ગીયના દિકરા આકાશ વિજયવર્ગીય હાલ ઈંદોર-3થી ધારાસભ્ય છે. પરંતુ જ્યારે પિતા કૈલાશ વિજયવર્ગીયને ઈંદૌર-1થી ટિકિટ મળવ્યા બાદ હવે આકાશ વિજયવર્ગીયને ટિકિટ કટના સંકેત મળ્યા છે.
આ રીતે કેન્દ્રીય રાજ્યમંત્રી પ્રહ્લાદ પટેલને બીજેપીના નરસિંહપુરથી ઉમેદવાર બનાવાયા છે જ્યારે આ સીટના વર્તમાનમાં તેમના ભાઈ જાલમ સિંહ પટેલ ધારાસભ્ય છે. હવે પ્રહ્લાદ પટેલને ટિકિટ મળ્યા બાદ તેમના ધારાસભ્ય ભાઈની ટિકિટ કટ થવી નક્કી છે.
विधानसभा 3 मे हरतालिका तीज के पावन अवसर पर विभिन्न स्थानो पर आयोजित भजन संध्या के कार्यक्रमों मे सम्मिलित होकर मातृशक्ति का आशीर्वाद प्राप्त किया और उन्हे हरतालिका तीज की शुभकामनाएं दी। pic.twitter.com/EFC8iSNtfx
— Akash vijayvargiya (@AkashVOnline) September 26, 2023
જણાવી દઈએ કે આકાશ વિજયવર્ગીય ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમણે નિગમ અધિકારી પર બેટથી હુમલો કર્યો હતો. ઈંદોરના ગંજી કમ્પાઉન્ડ વિસ્તારમાં તોડફોડને લઈને બબાલ થયા બાદ આકાશ વિજયવર્ગીયનો નિગમ અધિકારી પર ક્રિકેટ બેટથી હુમલો કરવાનો વીડિયો વાયરલ થયો હતો. ત્યાર બાદ તેમની પોલીસે તે સમયે ધરપકડ કરી હતી. તેને લઈને મધ્ય પ્રદેશમાં ખૂબ રાજનીતિ થઈ હતી.
સિંધિયાનો દમ યથાવત
બીજેપીની બીજી યાદીમાં જ્યાં જીતેલા ધારસભ્યોની ટિકિટ કાપવામાં આવી છે ત્યાં જ સિંધિયા સમર્થક નેતા જે ગઈ પેટાચૂંટણીમાં હારી ચુક્યા છે. તેમને એક વખત ફરી ટિકિટ આપવામાં આવી છે. બીજી યાદીમાં સિંધિયાની સાથે કોંગ્રેસ છોડી બીજેપીમાં શામેલ થયેલા 5 નેતાઓને ટિકિટ મળી છે.
તેમાં ઈમરતી દેવી, રધુરાજ કંસાના, હીરેન્દ્ર સિંહ બંટી, મોહન રાઠોર અને શ્રીકાંત ચતુર્વેદીનું નામ છે. ઈમરતી દેવી અને રધુરાજ કંસાના 2020માં થયેલી પેટાચૂટંણી હારી ગયા હતા પરંતુ તેમણે ફરીથી ટિકિટ મળવાથી આ સ્પષ્ટ થઈ ગયું છે કે બીજેપીમાં સિંધિયાનો દબદભો કાયમ છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ