બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
VTV / air india business class passenge shares video of insect in flight meal
Hiralal
Last Updated: 03:08 PM, 28 February 2023
માંડ માંડ પાટે ચડેલી એર ઈન્ડીયાની ફ્લાઈટમાં એક નઠારી ઘટના સામે આવી છે. એર ઈન્ડીયાની ફ્લાઈટમાં એક પ્રવાસીના ભોજનમાં જીવાત નીકળી છે અને પ્રવાસીએ આ વીડિયો શેર કરીને ફરિયાદ કરી છે. મુંબઈથી ચેન્નાઈ જતી ફ્લાઈટમાં બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી રહેલા એર ઈન્ડિયાના પેસેન્જરે ખોરાકમાં જીવાત જોઈ અને તેઓએ એક વીડિયો શેર કર્યો.
"airindiain insect in the meal served in businessclass. Doesn't look like hygiene was taken. My flight was AI671 -Mumbai to chennai Seat 2C." passenger travelling in #AirIndia business class from Mumbai to Chennai Mahavir Jain tweeted. pic.twitter.com/d6lzJwPH3Q
— IANS (@ians_india) February 27, 2023
પ્રવાસીએ ટ્વિટ કરીને કરી ફરિયાદ
એર ઈન્ડિયાના પેસેન્જર મહાવીર જૈને ટ્વીટ કર્યું, "એર ઈન્ડિયાના બિઝનેસ ક્લાસમાં પીરસવામાં આવતા ભોજનમાં જીવાત મળી છે. સ્વચ્છતા પ્રત્યે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. મારી ફ્લાઈટ AI 671-મુંબઈથી ચેન્નાઈની હતી અને સીટ 2C હતી.
@airindiain insect in the meal served in businessclass pic.twitter.com/vgUKvYZy89
— Mahavir jain (@mbj114) February 27, 2023
એર ઈન્ડીયાએ આપ્યો જવાબ
યાત્રીની ટ્વિટના જવાબમાં એર ઈન્ડિયાએ કહ્યું, કે અમારી સાથે ફ્લાઈટમાં મુસાફરી દરમિયાન તમારા દુઃખદ અનુભવની નોંધ લેવા બદલ અમને ખેદ થાય છે. આ સાંભળવું સારું નથી લાગતું. અમે પ્રક્રિયાના દરેક તબક્કામાં સ્વચ્છતા સુનિશ્ચિત કરવાનાં પગલાંનું સખતપણે ધ્યાન રાખીએ છીએ. પણ શું તમે કૃપા કરીને તમારી મુસાફરીની તારીખ, સીટ નંબર સાથે ફ્લાઇટની વિગતો ડીએમને મોકલી શકો છો? અમે તેને અમારી કેટરિંગ ટીમ સાથે તાત્કાલિક સમીક્ષા અને કાર્યવાહી માટે લઈશું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ