શહેરમાં બારેમાસ દુષિત પાણીની સમસ્યા રહે છે. 20 ટકા વિસ્તારમાં આજ સુધી પાણી-ગટર લાઈન નું નેટવર્ક નથી. દુષિત પાણીના કારણે ઘણા પાણી ના રોગો થાય છે અને ઘણા લોકો બીમાર પડે છે. લોકોને પીવા માટે સવારના બે કલાકનું પાણી મળવું જોઈએ છે જે ઊંડું જતું રહ્યું છે. છતાંપણ સત્તાવાળા દર વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ કરીને ફાટકડીની ખરીદી કરે છે. હવે લોકો 2 કરોડ ની ફટકડીથી ગાળેલું પાણી પીશે.
મ્યુનિસિપલ સત્તાવાળા ચોમાસામાં નર્મદા માંથી પાંમી સાથે જે માટી આવે છે અને લેવલમાં લાવા માટે અને વોટર ટ્રીટમેન્ટ માટે ફટકડી નો ઉપયોગ કરે છે. આવતા વર્ષ માટે તંત્ર પ્રતિ મેટ્રિક ટન રૂ.19660 ના ભાવથી કુલ 1000 મેટ્રિક ટન ફટકડી ખરીદવાના ટેન્ડરને મંજુરી આપી છે. આ ફટકડી પાછળ 1.90 કરોડ ખર્ચાશે.
રોળના કામમાં પણ અલગ પ્રકારના ઘોટાળાની ફરિયાદ આવે છે. ખાસ કરીને જેટ પેચર મશીનથી પેચવર્કના મામલે એચ.અલ.પી નામની કંપની પર તંત્ર ઓળઘોળ છે. આ કંપનીએ એક પણ રૂપિયાના ફરક વગર અલગ જગ્યાના ટેન્ડર ભર્યા છતાં પણ ટેન્ડર પાસ થઇ ગયા જેના કારણે આ બાબત મ્યુનિસિપલ વિભાગમાં ચર્ચાસ્પદ બની છે.