બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
Malay
Last Updated: 11:53 AM, 22 August 2023
અમદાવાદ ન્યૂઝઃ ભારતનું મિશન મૂન સફળતાની રાહે આગળ વધી રહ્યું છે. પ્રત્યેક ક્ષણે ચંદ્રથી ચંદ્રયાન-3નું અંતર ઘટી રહ્યું છે. ભારતના ચંદ્રયાન 3 મિશન ઉપર આજે દુનિયાભરની નજર છે. બધું પ્લાન પ્રમાણે રહ્યું તો 23 ઓગસ્ટના સાંજના 6.04 કલાકે ચંદ્રયાન-3નું ચંદ્ર પર સોફ્ટ લેન્ડીંગ થશે. આ ચંદ્રયાન-3માં ગુજરાતના સ્પેસ એપ્લિકેશન સેન્ટર એટલે કે SAC ઈસરો અમદાવાદનો કેટલો ફાળો રહ્યો છે, તે જાણવા માટે VTV ન્યૂઝ અમદાવાદના સ્પેસ એપ્લિકેશન સેન્ટર ખાતે પહોચ્યું હતું. જ્યાં ચંદ્રયાન-3 મુદ્દે SAC ઈસરોના ડિરેક્ટર નિલેશ દેસાઈએ VTV ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી. ડિરેક્ટર નિલેશ દેસાઈએ ટેક્નોલોજી, એપ્લિકેશન અને ઈમેજ પ્રોસેસિંગ મુદ્દે વાત કરી હતી.
અમદાવાદ ISROનો મહત્વનો ફાળો
SAC ઈસરોના ડિરેક્ટર નિલેશ દેસાઈએ જણાવ્યું હતું કે, ચંદ્રયાન-3માં અમદાવાદ સ્પેસ એપ્લિકેશન સેન્ટરનો મહત્વનો ફાળો છે. SAC ઇસરોના કુલ 700થી વધુ કર્મચારીઓએ ચંદ્રયાન 3માં મહત્વનું યોગદાન આપ્યું છે. જેમાં SAC દ્વારા ચંદ્રયાન-3ની કુલ 11 પ્રણાલી ઉપર કામ કરવામાં આવ્યું છે. જેમાં લેન્ડિંગ સાઈટનું સિલેક્શન પ્રોસેસિંગનું 80% કામ અમદાવાદના SAC સેન્ટરમાં થયું છે.
11 સિસ્ટમ આ સેન્ટર ખાતે બનાવાઈ છે
તેમણે જણાવ્યું હતું કે, ચંદ્રયાન-3ના લેન્ડરમાં સેન્સર સહિત 11 સિસ્ટમ આ સેન્ટરમાં બનાવવામાં આવી છે. તેનું એલ્ગોરિધમ, એનાલિસિસ, ટેસ્ટિંગથી માંડીને બધી કામગીરી આ સેન્ટર ખાતેથી જ કરવામાં આવી છે. આ 11 સિસ્ટમ લેન્ડરના સોફ્ટ લેન્ડિંગમાં અગત્યનો ભાગ ભજવવાની છે.
અહીં જ કરાયું છે ટેસ્ટિંગ
ચંદ્રયાન 3 માટે એક હાઈ કેપેસિટી કોમ્પ્યુટર પણ અમદાવાદના સેન્ટર ખાતે બનાવવામાં આવ્યું છે. તેનું ટેસ્ટિંગ પણ અહીં જ કરવામાં આવ્યું છે. અમદાવાદ ISROના 700થી વધુ કર્મચારીઓએ ચંદ્રયાન-3માં કર્યું કામ છે. 23 ઓગસ્ટે સાંજના સમયે ચંદ્રયાન-3નું સોફ્ટ લેન્ડિંગ થશે. પ્રથમ વખત કોઈ સેટેલાઈટ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગ કરશે. 23 તારીખે લેન્ડિંગ ન થાય તો 27 ઓગસ્ટના લેન્ડિંગ કરાશે.
ઈસરોએ શેર કરી હતી મહત્વની માહિતી
આ પહેલા ઈસરોએ એવી માહિતી શેર કરી હતી કે, ચંદ્રયાન-3 ચંદ્રની ખૂબ જ નજીક પહોંચી ગયું છે અને 23 ઓગસ્ટે દક્ષિણ ધ્રુવ પાસે સોફ્ટ લેન્ડિંગ કરશે. લેન્ડર હાલમાં ચંદ્રની સપાટી પર સલામત ઉતરાણ કરવા માટે સપાટ જમીનની શોધમાં છે. લેન્ડર એવી જગ્યાની શોધમાં છે જ્યાં બોલ્ડર્સ અને ખાઈઓ અસ્તિત્વમાં નથી. ચંદ્રયાન-3 મિશન ચંદ્રની સપાટીથી માત્ર 25 કિમી દૂર છે. જો ચંદ્રયાન-3 સફળતાપૂર્વક લેન્ડ કરવામાં સક્ષમ હશે તો ભારત આવું કરનારો પ્રથમ દેશ બની જશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો