બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Ahmed Patel's daughter Mumtaz Patel may join in politics
Dhruv
Last Updated: 02:45 PM, 3 August 2022
ગુજરાતના રાજકારણને લઇને વધુ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. દિવંગત અહેમદ પટેલના પુત્રી રાજકારણમાં ઝંપલાવી શકે તેવી શક્યતા છે. સ્વ.અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલની ટૂંક સમયમાં રાજકારણમાં સક્રિય ભૂમિકામાં દેખાઈ શકે છે.
ભરૂચ: સ્વ. અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ ટૂંક સમયમાં રાજકારણમાં ઝંપલાવી શકે છે, કહ્યું 'તક મળી તો ભરૂચમાંથી ચૂંટણી પણ લડીશ, કોંગ્રેસમાંથી રાજકારણમાં પ્રવેશ અંગે હાલ કોઈ સ્પષ્ટતા નહીં'#Bharuch #AhmedPatel #MumtazPatel
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 3, 2022
સારું કામ કરવાની તક મળશે તો ભરૂચથી ચૂંટણી લડીશ: મુમતાઝ પટેલ
આ અંગે ખાનગી સંસ્થાના એક કાર્યક્રમમાં મુમતાઝ પટેલે નિવેદન આપતા જણાવ્યું કે, 'અહેમદભાઇના અમે પોલિટિકલ વારસદાર નથી. રાજનૈતિક વારસદાર અમે નથી. પરંતુ જો સારું કામ કરવાની તક મળશે તો જરૂરથી પોલિટિક્સ (રાજકારણમાં પ્રવેશ) કરીશું. ક્યાંક ને ક્યાંક કંઇક સમસ્યા તો રહેશે, પરંતુ આ સિલસિલો બદલવો પડશે. હું ભવિષ્યમાં જરૂરથી એક્ટિવ રહીશ. તક મળી તો ભરૂચમાંથી ચૂંટણી પણ લડીશ. જનતાદળ સ્વીકારવા તૈયાર હશે તો જરૂરથી ચૂંટણી લડીશ.' જો કે, સામે કોંગ્રેસમાંથી રાજકારણમાં પ્રવેશ અંગે હાલ કોઈ સ્પષ્ટતા નથી કરી.
ગુજરાતના રાજકારણને લઇને વધુ એક મહત્વના સમાચાર
અત્રે તમને જણાવી દઇએ કે, આજ રોજ ગુજરાતના રાજકારણને લઇને વધુ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં કોંગ્રેસના સિનિયર નેતા નરેશ રાવલે આજે કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું છે. ત્યારે નરેશ રાવલ અને રાજ્યસભાના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના દલિત નેતા રાજુ પરમાર હવે કેસરિયો ધારણ કરશે. કોંગ્રેસના 2 દિગ્ગજ નેતાઓ આગામી તારીખ 17મી ઓગસ્ટે વિધિવત રીતે ભાજપમાં જોડાશે.
17મી ઓગસ્ટે કોંગ્રેસના બે પૂર્વ સિનિયર નેતાઓ કેસરિયો ધારણ કરશે
આગામી તારીખ 17 ઓગસ્ટના રોજ સવારના 11 વાગે આ બંને સિનિયર નેતાઓ ભાજપમાં જોડાશે. મહત્વનું છે કે, નરેશ રાવલે કોંગ્રેસમાંથી રાજીનામું આપવા અંગે નિવેદન આપતા જણાવ્યું કે, 'અમે બધા ઘણા વર્ષોથી કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા. અત્યારે મારે કારણમાં નથી પડવું. કોંગ્રેસમાં મને કડવા અનુભવ થયા છે. સાચી પરિસ્થિતિ સમજ્યા વગર કામ થાય છે. પ્રદેશ નેતાઓ અને હાઇકમાન્ડ દ્વારા કડવા અનુભવ થયા છે. PM નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં હું અને રાજુ પરમાર ભાજપમાં જોડાશું. કોંગ્રેસમાં ટીમ વર્કનો મોટો અભાવ છે. કોંગ્રેસમાં એહમદ પટેલની કમી દેખાઈ છે.' ઉલ્લેખનીય છે કે, નરેશ રાવલ અને રાજુ પરમારે ગઈકાલે CR પાટીલ સાથે બેઠક કરી હતી.'
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime