બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Dinesh
Last Updated: 04:49 PM, 17 December 2022
ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે લોકો પતંગની સાથે સાથે ચિક્કી ખાવાની પણ મજા માણતા હોય છે પરંતુ કોરોના બાદ આ વર્ષે ચિક્કીના વેપારીઓ પણ માર્કેટ સારી રહે તેવી આશા સેવી રહ્યાં છે. જેમાં પણ આ વર્ષે ચિક્કીનું વિદેશમાં નિકાસ સારુ થાય તેવી પણ આશા સેવી રહ્યાં છે.
બે વર્ષે બાદ આ વર્ષે માર્કેટ ખુલી
ઉત્તરાયણના તહેવારને નજીક આવી રહ્યો છે ત્યારે માર્કેટમાં ઉત્તરાયણમાં ખવાતી તલ અને સિંગની ચિક્કીનો વેચાણ શરૂ થઈ ગયું છે. તલ અને સિંગની ચિક્કીના ઉદ્યોગકરો શિયાળો શરૂઆત થતાની સાથે જ ઉત્પાદન શરૂ કરી દેતા હોય છે જો કે કોવિડના કારણે ઉત્પાદન પર અસર વર્તાઈ હતી પરંતુ હવે બે વર્ષે બાદ આ વર્ષે માર્કેટ ખુલી છે.
ભાવમાં 5 ટકાનો વધારો
શિગની ચીક્કીનો ભાવ ગત વર્ષે 180-190 હતો આ વર્ષે 190 થી 200 રૂપિયા વેચાણ થઈ રહ્યું છે. તલની ચીક્કીનો ભાવ ગત વર્ષે 220 હતો આ વર્ષે 240થી 260 રૂપિયા વેચાય છે. શિગની માવાની ચીક્કીનો ભાવ ગત વર્ષે 200 હતો આ વર્ષે 220થી 240 રૂપિયા વેચાય છે. તેમજ નાળીયેરની ચીક્કીની વાત કરીએ તો ગત વર્ષે 140થી 150 હતો આ વર્ષે 160થી 180 રૂપિયા વેચાય છે. ડ્રાયફ્રુટ ચીક્કીનો ભાવ ગત વર્ષે 750 હતો આ વર્ષે 800 રૂપિયા વેચાણ થઈ રહ્યું છે. ચિક્કીના વિવિધ આઈટમોમાં સરેરાશ ભાવમાં 5 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.
સારા પ્રમાણમાં નિકાસ થાય તેવી આશા
ફક્ત ભાવ વધારો ચીક્કીના વ્યવસાય કરતા લોકો માટે ઉપાય નથી. પરતું મોટા મોટા વેપારીઓને પણ ઉત્પાદન તો કોરોના બે વર્ષ ઠપ્પ હતું જે કોવિડના કહેર ઘટતા સારા રોજગારની આશા સેવી રહ્યા છે જો કે રાજ્યમાં અને આતરરાજ્યમાં કે વિદેશમાં નિકાસ પર પણ કોવિડમાં ઠપ્પ હતું જે આ વર્ષે ડીસેમ્બર મહિનામાં પુરજોશમાં પ્રોડક્શન થતા નિકાશની ઉધોગકરો આશા સેવી રહ્યા છે. કોરોના બાદ આ વર્ષે વિદેશમા 10 હજાર કિ.લોની નિકાસ થાય તેવી આશા સેવી રહ્યા છે. કોવિડ બાદ માર્કેટ ખુલતા હવે પ્રતિદિન 500થી 700 કિલો વેચાણ થતું હોવાનું વેપાપરીઓ કહી રહ્યા છે.
નિકાસ કરવા વેપારીઓ તત્પર
કોરોનાની મહામારીમાં તમામ ઉદ્યોગ અને રોજગાર પર માઠી અસર પડી હતી. જેમાં ખાણીપીણી માર્કેટમાં હોલ સેલ ઉત્પાદક હોય કે નાનાં વેપારીઓ હોય તમામના રોજગાર પર મહામારીની મોટી અસર વર્તાઈ હતી. હવે તહેવારો નજીક આવતા માઠી અસરમાંથી હવે ખાણી-પીણી માર્કેટ સ્ટેબલ થઇ રહ્યો છે. ત્યારે તહેવારમાં ખવાતા ચક્કીનો વ્યવસાય પણ હવે નિકાસ માટે આશા સેવી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime