બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
Megha
Last Updated: 12:07 PM, 7 February 2024
સંસદ બાદ હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સુરક્ષામાં ભંગનો મામલો સામે આવ્યો છે. એક યુવક નકલી ઓળખાણની મદદથી ગૃહ મંત્રાલયમાં ઘુસ્યો હતો પરંતુ દિલ્હી પોલીસે આ યુવકને પકડી પડ્યો હતો.
પોલીસે નકલી ઓળખ કાર્ડ પર નોર્થ બ્લોકમાં ગૃહ મંત્રાલયમાં ઘૂસવાનો પ્રયાસ કરતા એક યુવકની ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર આ આરોપીની ઓળખ આદિત્ય પ્રતાપ સિંહ તરીકે થઈ છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે કે આ યુવક ફેક આઈડી દ્વારા કયા હેતુથી દાખલ થયો હતો. સાથે જ કહેવાય રહ્યું છે કે હાલમાં કોઈ ટેરર એન્ગલ જોવા મળ્યો નથી. સ્પેશિયલ સેલ અને અન્ય એજન્સીઓએ પણ આરોપીઓની પૂછપરછ કરી છે.
નોંધનીય છે કે લોકસભા ચૂંટણી પહેલા દિલ્હી પોલીસ એલર્ટ મોડમાં છે અને સંવેદનશીલ વિસ્તારોમાં તકેદારી વધારી દેવામાં આવી છે. એ અયોધ્યા રામ મંદિર હોય કે પછી જ્ઞાનવાપીમાં પૂજાની પરવાનગી હોય, આ મુદ્દાને લઈને દિલ્હીની શાંતિ ભંગ કરવાનો કોઈ પ્રયાસ કરી રહ્યું છે કે કેમ તેના પર પોલીસ નજર રાખી રહી છે.
વધુ વાંચો: 'જીવનો ખતરો..ભારતીયોએ તાત્કાલિક આ દેશનો વિસ્તાર છોડે' વિદેશ મંત્રાલયે જાહેર કરી એડવાઈઝરી
આ માટે પોલીસની સ્પેશિયલ બ્રાન્ચે પણ એલર્ટ જાહેર કર્યું છે. હવે પોલીસને CAA અને NRCમાં ભાગ લેનારા લોકો અને જૂથોની યાદી બનાવવા માટે કહેવામાં આવ્યું છે. ખાસ કરીને, 2020ના રમખાણોને ભડકાવવામાં જેમના નામ સામેલ હતા તેમની પહેલેથી જ તૈયાર કરેલી યાદીને અપડેટ કરવાની સલાહ આપવામાં આવી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ