બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Dinesh
Last Updated: 10:44 PM, 16 April 2023
અમદાવાદમાં લોન લેવા માટે કાવતરૂ રચનાર આરોપીઓની ધરપકડ કરાઇ છે. એક પેઢીના ભાગીદારો, બેંકના બ્રાન્ચ મેનેજર સહિતના સાત લોકોએ આ કાવતરૂ રચ્યુ હતુ. આરોપીઓએ કરોડોની લોન લેવા માટે અસ્તિત્વમાં ન હોય તેવી મિલકત મોર્ગેજમાં મૂકી હતી. બેંકના બ્રાન્ચ મેનેજરે પણ વિઝિટેશન બતાવી લોન મંજૂર કરી મદદગારી કરી હતી.
આરોપીઓએ રૂપિયા 1.95 કરોડની લોન લીધી હતી
આરોપી રૂપલ બારોટ, નિલેશ બારોટ, ભૂપેન્દ્ર પટેલ, ઇન્દુપ્રસાદ પટેલ અને ક્રિષ્નકાંત પંડતની આર્થિક ગુના નિવારણ શાખાએ ધરપકડ કરી છે. આરોપીઓમાં રૂપલ બારોટ અને નિલેશ બારોટ બેન્ક લોન લેનાર છે. જે આરોપીઓએ રૂપિયા 1.95 કરોડની લોન લીધી હતી. આરોપીઓમાં રૂપલ બારોટ અને નિલેશ બારોટ ઓર્ચિડ બ્યુટીક પેઢીના ભાગીદાર છે. જેઓએ લોનધારક બની આ કૌભાંડ આચર્યુ છે. આરોપીઓએ પેઢી માટે 1.95 કરોડની લોન મેળવવા એક ફ્લેટ મોર્ગેજમાં મુકવા માટે ખોટો વેચાણ દસ્તાવેજ બનાવી દેવડાવ્યો હતો. બાદમાં તે મિલકત અસ્તિત્વમાં ન હોવાનુ જાણવા છતાં ભૂપેન્દ્ર પટેલ નામના શખ્સે ગેરેન્ટંડ તરીકે રહી બેન્ક લોન અપાવવામાં મદદ કરી હતી. જ્યારે મિલકત વેચનાર તરીકે ગીરીશ ભેસાણિયાએ મદદ કરી હતી. આ મિલકતના વેલ્યુઅર ઈન્દુપ્રસાદ પટેલએ અસ્તિત્વમાં ન હોય તેવી મિલકતનો ખોટો વેલ્યુએશન રીપોર્ટ બેન્કમાં આપ્યો હતો. ઓર્ચીડ બ્યુટીકના ભાગીદારોએ પોતાના તથા પેઢીના અને ગેરેન્ટડના જરુરી દસ્તાવેજ સાથે મિલકતની માલીકી ન ધરાવતા લોકોના નામના ખોટા ભાડા કરારો પણ રજુ કર્યા હતા. જ્યારે બેન્કના બ્રાન્ચ મેનેજર કુલદીપરાજ સક્સેનાએ આરોપીઓ સાથે મળી મોર્ગેજમાં મુકેલ મિલકત અસ્તિત્વમાં ન હોવા છતાં તે મિલકતની વિઝીટ બતાવી લોન પ્રોસેસ નોટ ઉભી કરી પોતાના હોદ્દાનો દુરપયોગ કરી 1.95 કરોડની લોન મંજુર કરી હતી.
પોલીસે આ સાતમાંથી પાંચ આરોપીઓની ધરપકડ
આ ગુનામાં મશીનરી વેલ્યુઅર ક્રીષ્ણકાંત અમૃતલાલ પંડિતએ શેડમાં મશીનો ન લાગ્યા હોવા છતાં મશીનો લાગ્યા હોવાનો રીપોર્ટ બેન્કમાં રજુ કરી બેન્કને આજદીન સુધી મુદ્દલ, વ્યાજ તથા પેનલ્ટી સાથે મળી 3.03 કરોડનું નાણાકીય નુકસાન પહોચાડ્યું છે. વર્ષ 2016માં આપેલી લોનમાં બેન્કને વ્યાજ સહિતની રકમ ન મળતા તપાસ કરતા આ મામલે પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. બેન્ક સાથે વિશ્વાસઘાત છેતરપીંડી થતા પોલીસે આ સાતમાંથી પાંચ આરોપીઓની ધરપકડ કરાઈ હતી ત્યાર બાદ બેંક મેનેજરની પણ ધરપકડ કરાઈ છે. વાસણા બ્રાન્ચના દેના બેંક મેનેજરની ધરપકડ કરાઈ છે.
ખોટો રીપોર્ટ બેન્કમાં પણ આપ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું
એક આરોપીએ એસ્ટેટમાં મશીનો ન લાગ્યા હોવા છતાં મશીનો લાગ્યા હોવાનો ખોટો રીપોર્ટ બેન્કમાં પણ આપ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે ત્યારે હવે ફરાર આરોપી બેન્ક મેનેજર અને અન્ય એક આરોપીની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime