9 માર્ચના એટલે કે સોમવારના દિવસે દેશભરમાં હર્ષોઉલ્લાસની સાથે હોળીના તહેવારની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે હોળિકા દહનનું ઘણું મહત્વ રહેલુ છે. ભારતીય સંસ્કૃતિ અનુસાર, તન-મનની શુદ્ઘતા માટે હોળિકા દહનની પૂજા કરવામાં આવે છે. હોળીના બીજા દિવસે ધૂળેટીના તહેવારની ઉજવણી કરવામાં આવે છે જેનાથી પ્રેમ વધે છે.
હોળીના દિવસે હોળિકા દહનને તાત્વિક હેતુ આપણામાં રહેતી અસુરી ભાવના અને નકારાત્મકતા બાળવાનો છે. સમગ્ર ચરાચર અને મન.બુદ્ઘિ અને દેહના શુદ્ઘિકરણ માટે હોળિકા દહનનું વિશેષ મહત્વ રહેલુ છે, જે તાપમાં તપીને જ વિશુદ્ઘીકરણની પરીક્ષા થાય છે. આ દિવસે ઠેર-ઠેર પ્રગટતી હોળિકાના દર્શન કરવા માટે લોકો જાય છે. જ્યાં હોળની પ્રદક્ષિણા કરતા લોકો ધાણી, ખજૂર, શ્રીફળ, કપૂરનો ભોગ હોળીમાં પધરાવે છે. તો જાણો રાશિ અનુસાર, હોળિકામાં આ વસ્તુ ધરાવવામાં આવે તો નસીબ ચમકી જશે.