બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
VTV / 50 thousand sadhu saints of Madhya Pradesh will take support of Dhirendra Krishna Shastri, Pithadhis famous Bageshwar Dham
Kishor
Last Updated: 05:40 PM, 21 January 2023
પ્રખ્યાત બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના સમર્થનમાં મધ્યપ્રદેશના સંત-પૂજારીઓનું સંગઠન સમર્થનમાં આવ્યું છે. શનિવારે સંગઠનની બેઠકમાં સંતોએ શાસ્ત્રીના સમર્થનમાં ઠરાવ પસાર કર્યો હતો. તેમણે ચેતવણી આપી છે કે જો ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી વિરુદ્ધ કોઈ પણ પ્રકારનું ષડયંત્ર થશે તો તેમની વિરુદ્ધ 50 હજાર સાધુ-સંતો માર્ગો પર ઉતરી પ્રદર્શન કરશે.
શુ છે સમગ્ર મામલો
સમગ્ર મામલાની વાત કરીએ તો, બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને લઈ ખુબ જ હંગામો મચ્યો છે. તેમની પર લોકો અંધવિશ્વાસ ફેલાવવાનો આરોપ લગાવી રહ્યા છે. તે પણ કહેવામાં આવી રહ્યું છે કે તે લોકોની ભાવનાઓ સાથે રમી રહ્યા છે પણ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી તેમની ઉપર લાગેલા એ આરોપોને ફગાવી રહ્યા છે.
સંસ્થાની બેઠકમા મુકાયો પ્રસ્તાવ
ભોપાલમાં ગાંધી ભવનમાં તેના સ્થાપના દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું ત્યારે સંસ્થાની બેઠકમાં આ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ સંસ્થા અથવા સમાજ પીઠાધીશ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પર આરોપ લગાવશે તો 50 હજાર સંતો તેના વિરોધમાં રસ્તા પર ઉતરશે. સંત-પુજારી સંગઠનના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર દીક્ષિતે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે અમે બાગેશ્વર ધામ સરકારને સમર્થન આપીએ છીએ અને તેમની પર લાગેલા આરોપોની સર્વસંમતિથી નિંદા કરીએ છીએ.
બાગેશ્વર ધામ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને સમર્થન
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જો કોઈ કોઈ વૈદિક ધર્માચાર્ય, કથાકારનું અપમાન અને નિંદા કરશે તો અમે તેને સહન નહીં કરીએ. અમે બાગેશ્વર ધામ સરકારના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને સમર્થન આપીએ છીએ. જો તેમની સામે કોઈપણ પ્રકારનું ષડયંત્ર કે કાર્યવાહી કરવામાં આવશે તો સાધુ-સંત સમાજ રસ્તા પર ઉતરી વિરોધ કરશે. સંત-પુજારી સંગઠનના પ્રદેશ પ્રમુખ દીક્ષિતે 18 માર્ચે સંગઠનની રેલી કાઢવાની જાહેરાત કરી હતી. સંસ્થાના વડા પંડિત ચંદ્રશેખર તિવારીએ કહ્યું કે સનાતન ધર્મ અને હિન્દુ દેવી-દેવતાઓ વિરુદ્ધ સતત ટિપ્પણીઓ અને અપમાન કરવામાં આવી રહ્યા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો