બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Arohi
Last Updated: 05:54 PM, 31 March 2022
હિન્દુ ધર્મ અને જ્યોતિષમાં શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. જો કે કેટલીક જગ્યાએ શનિને પાપી ગ્રહ પણ કહેવામાં આવે છે. કોઈપણ વ્યક્તિની કુંડળીમાં શનિની અશુભ સ્થિતિ નુકસાનકારક હોય છે. આ સાથે જ કર્મના દેવતા શનિદેવની પણ પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેઓ વ્યક્તિને તેના કાર્યો અનુસાર ફળ આપે છે.
સાડેસાતી વખતે જો કામ બગડી જાય તો તેનો અર્થ એ છે કે શનિદેવનો પ્રકોપ છે. આવી સ્થિતિમાં વ્યક્તિ કેટલાક ઉપાય કરીને શનિની અસરને ઘટાડી શકે છે. ભારતમાં શનિદેવના કેટલાક એવા મંદિરો છે, જે ખૂબ જ ચમત્કારી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અહીંયા દર્શન કરવાથી શનિદેવના દુઃખ સહિત જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે. ચાલો જાણીએ શનિદેવના 5 ચમત્કારી મંદિરો વિશે.
શનિધામ
શનિદેવને સમર્પિત આ મંદિર નવી દિલ્હીના છતરપુર રોડમાં આવેલું છે. આ મંદિરમાં વિશ્વની સૌથી ઊંચી શનિદેવની પ્રતિમા છે. અહીં લાખો ભક્તો દર્શન માટે આવે છે. આ સાથે અહીં શનિદેવની પ્રાકૃતિક મૂર્તિની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરના દર્શન કરવાથી તમામ પાપ ધોવાઈ જાય છે.
શનિ મંદિર, ઈંદૌર
ઈન્દોરમાં શનિદેવનું પ્રાચીન અને અદ્ભુત મંદિર છે. તે જુના ઇન્દોરમાં સ્થિત છે. આ મંદિર વિશે ઘણી દંતકથાઓ પ્રચલિત છે. એવું માનવામાં આવે છે કે અહલ્યાબાઈ આ સ્થાન પર શનિદેવની પૂજા કરવા આવ્યા હતા. આ સિવાય એવું પણ માનવામાં આવે છે કે આ મંદિરની સ્થાપના નથી કરવામાં આવી.
શનિ શિન્ગ્નાપુર
શનિ શિન્ગ્નાપુર મંદિર, મહારાષ્ટ્ર રાજ્યના અહમદનગર જિલ્લામાં આવેલું છે. આ શનિ મંદિર લગભગ 300 વર્ષ જૂનું છે. આ મંદિરમાં કોઈપણ પ્રકારની છત કે દિવાલ નથી. અહીં 5 ફૂટ ઊંચો કાળો પથ્થર છે, જેની લોકો શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે. કહેવાય છે કે શનિ શિંગણાપુર ગામના કોઈપણ ઘરમાં દરવાજો નથી. એવી માન્યતા છે કે શનિદેવ અહીંના લોકોની રક્ષા કરે છે. જો કે આ મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે.
શનિચરા મંદિર, મધ્યપ્રદેશ
આ મધ્યપ્રદેશનું સૌથી જૂનું શનિ મંદિર છે. જે મુરૈના જિલ્લાના આંટી ગામમાં ટેકરીઓ પર આવેલું છે. એવું માનવામાં આવે છે કે આ રામાયણ કાળનું સ્થળ છે. પુરાણોમાં ઉલ્લેખિત કથાઓ અનુસાર રાવણના કેદમાંથી મુક્ત થયા બાદ હનુમાનજીએ શનિદેવને અહીં જ છોડ્યા હતા. એવું માનવામાં આવે છે કે અહીં શનિ પર્વતની પરિક્રમા કરવાથી શનિના શ્રાપમાંથી મુક્તિ મળે છે.
થિરૂનલ્લર મંદિર, તમિલનાડુ
આ મંદિર પુડુચેરીના તિરુનાલ્લારમાં આવેલું છે. શનિદેવને સમર્પિત આ મંદિર તમિલનાડુ પાસે છે. આ મંદિરને નવગ્રહ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. કાવેરી નદીના કિનારે આવેલું આ શનિ મંદિર સૌથી પવિત્ર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં પૂજા કર્યા પછી રાજા નળે શનિના પ્રકોપથી મુક્તિ મેળવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime