બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 2000 expired tablets of vitamins were found in patangan of Jamnagar Municipality

લાલિયાવાડી / જામનગર મનપાની ઘોર બેદરકારી: પટાંગણમાંથી મળી આવી વિટામીનની એક્સપાયર થયેલી 2000 ગોળીઓ, લોકોમાં રોષ

Dhruv

Last Updated: 03:26 PM, 15 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જામનગર મનપાના પટાંગણમાં ધૂળ ખાતી વિટામીનની ગોળીઓની બોટલો ધૂળ ખાતી જોવા મળી. આથી દવા વિતરણમાં તંત્રની બેદરકારીથી શહેરીજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે.

  • જામનગર મનપાના આરોગ્ય તંત્રની ઘોર બેદરકારી
  • પટાંગણમાંથી મળી આવી વિટામિનની 2000 ગોળી
  • આરોગ્ય શાખાની કામગીરી શંકાના દાયરામાં

જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. મનપાના આરોગ્ય કેન્દ્ર પરથી લોકોને અપાતી વિટામીનની 2000 ગોળીઓ એક્સપાયર થઇ ગઇ હોવાનું સામે આવ્યું છે. જેના લીધે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મહાનગરપાલિકાના પટાંગણમાંથી આ વિટામીનની ગોળીની બોટલો ધૂળ ખાતી જોવા મળી. ત્યારે દવા વિતરણમાં આ પ્રકારની ગંભીર બેદરકારી જોવા મળતા લોકો રોષે ભરાયા છે. મુદ્દત વીતી ગયેલી દવાના જથ્થાનો બાયોમેડીકલ વેસ્ટમાં નિકાલ કરવામાં ન આવતા આરોગ્ય શાખાની કામગીરી હવે શંકાના દાયરામાં આવી ગઇ છે.

2000 ગોળીઓ એક્સપાયર થયેલી હાલતમાં મળી આવી

તમને જણાવી દઇએ કે, શહેરના આરોગ્ય કેન્દ્ર પરથી જેઓને આંખની તકલીફ હોય તેઓને વિટામીન Aની ગોળી વિનામૂલ્યે આપવામાં આવે છે. જેમાં મનપા દ્વારા દર વર્ષે ફેબ્રુઆરી અને ઓગષ્ટ મહિનામાં ડોર ટુ ડોર સર્વે હાથ ધરીને બાળકોને વિટામીન Aનું સીરપ આપવામાં આવે છે. ત્યારે આવી 2000 જેટલી ગોળીઓ એક્સપાયર થઇ ગઇ છે. જેમાં એક બોટલની અંદર જ 50 ગોળીઓ આવે છે પરંતુ યોગ્ય રીતે દવાનું વિતરણ ન કરાતા 40 બોટલો વણવપરાયેલી હાલતમાં પડી રહી છે.

એક બોટલમાં 50 ગોળી હોય છે

આ અંગે જામનગર મહાનગરપાલિકાના ફાર્માસીસ્ટ મયુર ડોડીયાનું કહેવું છે કે, 'પટાંગણમાં વિટામીન-Aની ગોળીઓની જે બોટલો પડી છે તે દવા એક્સપાયર થઇ ગઇ છે. જેનો બાયોમેડીકલ વેસ્ટમાં નિકાલ કરવાનો છે. એક બોટલમાં 50 ગોળી હોય છે. આવી 2000 ગોળીની મુદ્દત વીતી ગઇ છે. મારી નિમણૂંક હમણાં જ થઇ છે. પહેલાના અધિકારી દ્રારા આ દવાનો જથ્થો રખાયો હતો. જેની ચકાસણી કરતા એક્સપાયર થયેલી દવા મળી આવી.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ