બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
Dharmishtha
Last Updated: 08:55 AM, 8 May 2021
રજીસ્ટ્રેશન બાદ પણ રસીકરણ નથી થઈ શક્યુ
અઠવાડિયા બાદ પણ દેશમાં 18થી 44 વર્ષના લોકોને રસી લગાવવા માટે ટાઈમ સ્લોટ નથી મળી રહ્યા. રાજ્યોની પાસે ઓછા ડોઝ હોવાના કારણે મોટા ભાગના કેન્દ્રો પર મર્યાદિત સમય માટે રજીસ્ટ્રેશન થઈ રહ્યુ છે. જેના કારણે દરેકને મોકો નથી મળી રહ્યો. આ સ્થિતિ દિલ્હી સહિત અનેક રાજ્યોમાં જોવા મળી રહી છે. ગત એક મેથી આ શ્રેણીમાં રસીકરણ શરુ કરવામાં આવ્યુ પણ હજું સુધી તેના માટે પુરતી રસી ઉપલ્ધ નથી. આના પરિણામે રજીસ્ટ્રેશન બાદ પણ રસીકરણ નથી થઈ શક્યુ.
એક દિવસમાં 23 લાખ લોકોએ રસી લગાવી છે- સ્વાસ્થ્ય મંત્રાલય
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે ગત એક દિવસમાં 23 લાખ લોકોએ રસી લગાવી છે. જેમાં 2.67 લાખ લોકો 18થી 44 વર્ષની વર્ષના હતા. અત્યાર સુધી દેશમાં 16.49 કરોડ રસી લગાવાઈ ચૂકી છે. 95 લાખ સ્વાસ્થ્ય કર્મચારી ઓછામાં ઓછા એક ડોઝ અત્યાર સુધી લઈ ચૂક્યા છે. દેશમાં 67 ટકા રસીકરણ ફક્ત 10 રાજ્યોમાં જોવા મળી રહ્યા છે. મંત્રાલયે જણાવ્યુ કે કોરોના રસીકરણને ભારતમાં 111 દિવસ પૂરા થઈ ચૂક્યા છે. ગત એક દિવસમાં 18938 કેન્દ્રો પર રસી આપવામાં આવી હતી. આ દરમિયાન 10.60 લાખની પહેલી અને 13. 10 લાખનો બીજો ડોઝ લીધો હતો.
દેશના 30 રાજ્યોમાં 11.80 લાખ યુવાઓની રસી અપાઈ ચૂકી
મંત્રાલયે જણાવ્યુ કે એકથી 6 મહિનાની વચ્ચે દેશના 30 રાજ્યોમાં 11.80 લાખ યુવાઓની રસી અપાઈ ચૂકી છે અંડમાન તથા નિકોબાર દ્વીપ ગ્રુપમાં 330, આંધ્ર પ્રદેશ 16, આસામ 220, બિહાર 284, ચંદીગઢ 2, છત્તીસગઢ 1026, દિલ્હી 1, 83, 679, ગોવા 741, ગુજરાત 224109, હરિયાણા 169409, હિમાચલ પ્રદેશ 14, જમ્મુ -21249 ઝારખંડ 77, કર્ણાટક 7, 068, કેરળ 22, લદ્દાખ 86, મધ્ય પ્રદેશ 98 23, મહારાષ્ટ્ર 2, 15 274, મેઘાલય 2, નાગાલેન્ડ 2, ઓડિશા 28, 327, પોન્ડિચેરી 1, પંજાબ 2 187, રાજસ્થાન 2, 18, 795, તમિલનાડુ 84 19, તેલંગાના 440, ત્રિપુરા 2, ઉત્તર પ્રદેશ 86, 420, ઉત્તરાખંડ 17 અને પશ્ચિમ બંગાળ 2757 ના ડોઝ યુવાનોને આપવામાં આવ્યા છે. અત્યાર સુધી 95, 01,643 સ્વાસ્થ્ય કર્મચારીઓને પહેલો ડોઝ અપાઈ ચૂક્યો છે. જ્યારે 63 92248 ને બીજો ડોઝ લઈ ચૂક્યાછે. આ ઉપરાંત 1,37,64,363 ફ્રન્ટલાઈન વર્કર્સને પહેલો અને 75,39,007ને બીજો ડોઝ લીધો છે. 18 થી 45 વર્ષની વચ્ચેની ઉંમરના 11, 80, 798 લોકોને રસી આપવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ