બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / Yuvraj Singh says Every captain has a favourite MS Dhoni really backed Suresh Raina
ટીમ ઇન્ડિયાના સૌથી લૉકપ્રિય ઑલરાઉન્ડરમાંથી એક યુવરાજ સિંહે ખુલાસો કર્યો કે, ''શ્રીલંકા વિરુદ્ઘ વર્લ્ડ કપ 2011 ની ફાઇનલ દરમિયાન સુરેશ રૈના અને યુસુફ પઠાણમાંથી કોઇ એકને પસંદ કરવાના હતા. સુરેશ રૈના પાછળ મોટો સપોર્ટ હતો, કેમકે એમ એસ ધોની તેનું સમર્થન કર્યો હતો. દરેક એક કેપ્ટનનો પસંદગીનો ખેલાડી હોય છે અને મારું માનવું છે કે, તે સમયે કેપ્ટને સુરેશ રૈનાનો વધારે ચાન્સ મળ્યા હતા.''
ADVERTISEMENT
યુવરાજ સિંહે આગળ કહ્યુ કે, ''યુસુફ પઠાણ તે સમયે સારા ફોર્મમાં હતો અને ત્યાં સુધી કે તે વિકેટો પણ પોતાના નામે કરી રહ્યો હતો. સુરેશ રૈના ઠીક ઠાક ફોર્મમાં હતો, આ સમયે અમારી પાસે લેફ્ટ-આર્મ સ્પિનર નહી હતો અને હું વિકેટ લઇ રહ્યો હતો, આ માટે મારી પસંદગી સિવાય કોઇ વિકલ્પ બાકી ન હતો.''

ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, સુરેશ રૈનાએ એમ એસ ધોનીની કેપ્ટન્સીમાં સતત રમ્યો છે, પરંતુ જેવી ટીમ ઇન્ડિયાની કેપ્ટન્સી વિરાટ કોહલીના હાથમાં આવી છે ત્યારથી તે ઇન્ટરનેશનલ ક્રિકેટથી દૂર થતો ગયો હતો. જૂલાઇ 2018 માં સુરેશ રૈનાએ પોતાની છેલ્લી વનડે મેચ રમી હતી, તે વર્ષે ટીમ ઇન્ડિયાએ 5 વનડે સીરિઝ રમી હતી, પરંતુ એક જ સીરિઝમાં તે ટીમનો ભાગ હતો.
એટલું જ નહી, સુરૈશ રૈનાએ પોતાની છેલ્લી ટેસ્ટ મેચ 2014-15 માં ઓસ્ટ્રેલિયાઇ પ્રવાસ પર રમી હતી. સુરેશ રૈના ટેસ્ટ મેચનો છેલ્લો ભાગ હતો, જે પછી એમ એસ ધોનીએ ટીમની કેપ્ટન્સી છોડી દીધી હતી. ટેસ્ટ ક્રિકેટના સંન્યાસની જાહેરાત પછી રૈનાએ પણ એક ટેસ્ટ મેચ રમી ન હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.