બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / વિશ્વ / World Sparrow Day is celebrated on March 20

દિન વિશેષ / કેમ 20 માર્ચે ઉજવાય છે વિશ્વ ચકલી દિવસ? ઇતિહાસ લુપ્ત થતો, ઘરે આટલું જરૂર કરો

Vishal Khamar

Last Updated: 07:15 AM, 20 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World Sparrow Day 2024: દર વર્ષે 20 માર્ચે સમગ્ર વિશ્વમાં વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં ચકલીના સંરક્ષણ અંગે જાગૃત કરવાનો છે

એક સમય એવો હતો કે જ્યારે વહેલી સવારે થતી ત્યારે ચકલીઓના મધુર કિલકિલાટ સાંભળવા મળતો હતો. ગોળાકાર માથા અને ઘેરા બદામી પટ્ટાવાળી પાંખોવાળું પક્ષી દરેકનું પ્રિય છે. પરંતુ અત્યારે ક્રોનકીટના વધતા જતા જંગલ વચ્ચે અનેક કારણોસર આ પક્ષી પણ લુપ્ત થવાના આરે છે. આજે વિશ્વ ચકલી દિવસ છે. દર વર્ષે 20 માર્ચે સમગ્ર વિશ્વમાં વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં ચકલીના સંરક્ષણ અંગે જાગૃત કરવાનો છે. તો ચાલો જાણીએ વિશ્વ ચકલી દિવસનું મહત્વ

માનવજાત માટે લાભદાયી પક્ષી છે
40થી વધુ રાષ્ટ્રો આ દિવસની ઉજવણી કરે છે. ચકલીની વસતીમાં થતા ઘટાડાને નિયંત્રિત કરવા માટેના પગલાંની વિચારણા કરવા માટે ખાસ આ દિવસ ઉજવે છે. ચકલી માનવજાત માટે પણ લાભદાયી પક્ષી છે. તે ખોરાક અને પર્યાવરણીય સંતુલન જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બીજ, અનાજ અને લાર્વા ખાવાથી આ પક્ષી અસરકારક જંતુ નિયંત્રણ એજન્ટ સાબિત થાય છે. તે ખોરાકની શોધ કરતી વખતે છોડના ફૂલો પર પણ બેસે છે જેનાથી પરાગ ધાન્યમાં પરોક્ષ રીતે મદદ કરે છે.

વિશ્વ ચકલી દિવસનો ઇતિહાસ
નેચર ફોરએવર સોસાયટી ઓફ ઈન્ડિયા અને ઈકો એસવાયએસ એક્શન ફાઉન્ડેશન ઓફ ફ્રાન્સના સહયોગથી 20 માર્ચ 2010ના રોજ વર્લ્ડ ચકલી દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી હતી. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય ચકલીના સંરક્ષણ માટે લોકોમાં જાગૃતિ લાવવાનો છે. જેથી તેમની લુપ્ત થતી પ્રજાતિઓને બચાવી શકાય. કહેવાય છે કે આ ખાસ દિવસનો શ્રેય નાસિક (મહારાષ્ટ્ર)ના મોહમ્મદ દિલાવરને જાય છે. સંરક્ષણવાદી મોહમ્મદ દિલાવરે નાસિકમાં ઘરની ચકલીઓ માટે વિશેષ સંભાળ માટે અભિયાન શરૂ કર્યું હતું. ઝુંબેશને સત્તાવાર બનાવવાનો વિચાર નેચર ફોરએવર સોસાયટીના કાર્યાલયમાં અનૌપચારિક ચર્ચા દરમિયાન ચકલી દિવસ ઉજવવાનો વિચાર આવ્યો હતો.

ચકલી સંબંધિત રસપ્રદ વાતો
ચકલીઓ માનવ વસાહતોમાં ટોળાઓમાં રહે છે. અમુક પરિસ્થિતિમાં તેઓ પાણીમાં ઝડપી તરી શકે છે.  ચકલી સ્વભાવે સુરક્ષાત્મક હોય છે અને પોતાનો માળો બનાવે છે. નર ચકલી તેમની માદા ચકલીને આકર્ષવા માટે માળો બાંધે છે. ઘરની ચકલી શહેરી અથવા ગ્રામીણ વાતાવરણમાં રહી શકે છે કારણ કે તેઓ માનવ વસવાટો સાથે સંકળાયેલી હોય છે. તેઓ જંગલો, રણ અને ઘાસના મેદાનો સુધી મર્યાદિત હોતી નથી પરંતુ વિવિધ આવાસ અને આબોહવામાં વ્યાપકપણે રહે છે. ચકલીની સરેરાશ ઉંમર 4 થી 5 વર્ષની હોય છે.

આટલું આવશ્ક કરો
જો તમારા ઘરની ટેરેસ કે બાલ્કનીમાં પક્ષીઓ આવતા-જતા હોય તો  તેમના માટે વાસણમાં ખોરાક અને પાણી અવશ્ય રાખવું. જેનાથી પક્ષીઓને સમયસર ખોરાક મળશે પરંતુ ધ્યાન રાખો કે સમયાંતરે પાણી બદલતા રહો અને ઉનાળામાં પાણીના વાસણને ખાલી ન રાખો અને શક્ય હોય તો માટીનું વાસણનું ઉપયોગ કરવું.

.VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

સંકળાયેલા મુદ્દાઓ

World Sparrow Day World Sparrow Day 2024 ચકલી સંરક્ષણ વિશ્વ ચકલી દિવસ World Sparrow Day
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ