બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
Kishor
Last Updated: 05:23 PM, 25 November 2023
બદલાતી જતી લાઈફસ્ટાઈલના કારણે આપણે અનેક બિમારીઓનો સામનો કરી રહ્યાં છે. વાત આવે બિમારીની તો અત્યારે સૌથી બિમારીનો જો કોઈ સામનો કરી રહ્યું હોય તો તે છે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર. કારણ કે અત્યારે મોટાભાગના ઘરોમાં કોઈને કોઈને ડાયાબિટીસ અથવા તો બ્લડપ્રેશરની બિમારી જોવા મળે. એટલે અત્યારે ડાયાબિટીસ અને બ્લડપ્રેશરની સમસ્યા સામાન્ય બની ગઈ છે.. એવુ નથી કે આ બિમારીનો ભોગ માત્ર વૃદ્ધ લોકો જ બની રહ્યાં છે. પણ અત્યારે યુવાનો અને નાના બાળકોમાં પણ ડાયાબિટીસ અને બ્લડપ્રેશરની બિમારી જોવા મળી રહી છે.. ત્યારે લોકોએ પણ પોતાના સ્વાસ્થ્યને લઈને જાગૃત બનવું જરૂરી છે. હેલ્થ એક્સપર્ટ પણ માને છે કે ઠંડીની ઋતુમાં હાઈટરટેન્શન એટલે કે બ્લડ પ્રેશરનો ખતરો વધી જાય છે.
શિયાળાની ઋતુમાં નસો અને હદય પર વધારે દબાવ પડે છે. જેના કારણે બ્લડપ્રેશર વધી જાય છે.. આ સિવાય શિયાળામાં ખાવાપીવામાં પણ બદલાવ અને ફિઝિકલ એક્ટિવીટી ઓછી થાય છે. જેના કારણે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાને કંટ્રોલ કરવા માટે તમારે કેટલાક સુપરફુડ્સનો ઉપયોગ કરી શકો છો. તો આજે અમે આપને જણાવીએ બીપી કંટ્રોલ કરનાર કેટલાક ફુડ્સ વિશે..
અશ્વગંધા
અશ્વગંધાનો ઉપયોગ ઘણી બિમારીઓ માટે કરવામાં આવે છે. એમાં પણ બ્લડપ્રેશરની બિમારી માટે અશ્વગંધા ખુબ જ ફાયદાકારક વસ્તુ છે.. જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તેમને પોતાના ડાયટમાં અશ્વગંધાનો જરૂરથી ઉપયોગ કરવો જોઈએ. તમારે બસ રોજ સવારે ખાલી પેટે એક ચમચી અશ્વગંધા પાઉડરને એક ગ્લાસ પાણી સાથે લેવો.
લસણ
લસણના પણ ઘણા બધા નુસ્ખા છે.. લસણના ઘરેલુ નુસ્ખાનો ઉપયોગ કરીને તમે હાઈ બ્લડપ્રેશરને કંટ્રોલમાં કરી શરો છો. તમારે રોજે સવારે ઉઠીને બસ એક લસણની કળી ખાવી. જે તમારા બ્લડ પ્રેશરને ઠીક કરવામાં મદદ કરશે.
પિસ્તા
પિસ્તામાં પોટેશિયમ, મૈગ્નેશિયમ અને મોનોઅનસૈચુરેડેટ ફેટ જેવા તમામ તત્વો જોવા મળે છે.. જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. હાઈ બીપીની સમસ્યાને ઠીક કરવામાં પિસ્તા ખુબ જ ઉપયોગી છે.
મેથી
મેથી આપણા બધાના ઘરમાં હોય છે પણ આપણે તેના ગુણો વિશે જાણતા નથી.. તમને જણાવી દયે કે શિયાળાની ઋતુમાં મેથીનું સેવન કરવાથી શરીરને ખુબ જ ફાયદો થાય છે. બીપીના દર્દીઓએ તો દરરોજ મેથીનું સેવન કરવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime