બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
બબીતા ફોગાટે એક ટ્વીટમાં જમાતીઓને જાહિલ કહ્યા હતા. આ પછી યુઝર્સે તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. રેસલર બજરંગ પુનિયા બબીતાના બચાવમાં આવ્યો હતો. તેણે ટ્રોલર્સને પૂછ્યું કે, "ખેલાડીઓ દેશ માટે દરરોજ સંઘર્ષ કરે છે, પરંતુ તમે શુ કરો છો?" દિલ્હીની મરકજ મસ્જિદમાં ધાર્મિક કાર્યક્રમમાં સામેલ થયેલા જમાતીઓના કારણે દેશમાં કોરોના સંક્રમણ વધ્યું છે. મરકજમાં 2 એપ્રિલે 400 સંક્રમિત જમાતીઓ મળ્યા હતા.
ADVERTISEMENT
यदि आप बबीता फोगाट को सपोर्ट करते हैं तो उन तक यह बात जरूर पहुंचा दीजिए और उनको बोलिए ध्यान से कान खोल कर सुन लें। pic.twitter.com/gqec3lQwPE
— Babita Phogat (@BabitaPhogat) April 17, 2020
ADVERTISEMENT
બબીતાએ આ પછી એક વીડિયો મેસેજની મદદથી કહ્યુ કે, ''ગત થોડા દિવસોમાં મેં કેટલાક ટ્વીટ પોસ્ટ કર્યા છે, જે પછી તેણે સતત ધમકીઓ મળી રહી છે. કેટલાક લોકો સોશ્યલ મીડિયા પર ગાળો આપી રહ્યા છે, ધમકી આપી રહ્યા છે અને કેટલાક લોકો ફોન કરીને પણ ધમકી આપી રહ્યા છે. હું તેમણે કહેવા માંગું છું કે, હું ઝાયરા વસીમ નથી, કે ધમકીઓથી ડરી જવું. હું દેશ માટે લડી છું અને મારા ટ્વીટ પર પણ કાયમ છું. જે મેં લખ્યુ છે તે ખોટું નથી.''
"मैं हमेशा सच बोलती रहूंगी और सच लिखती रहूंगी, अगर आप लोग सच सुनना पसंद नहीं करते या तो अपनी आदत सुधार लें, नहीं तो सच सुनने की आदत डाल लें"
— Babita Phogat (@BabitaPhogat) April 17, 2020
F.I.R से डर नहीं लगता साहिबा इन तबलीगी जमात वालों से लगता है। https://t.co/2J091AwQVA
ADVERTISEMENT
આ વીડિયો શૅર કરતા તેણે લખ્યુ કે, ''જો તમે બબીતા ફોગાટને સપોર્ટ કરો છો તો તે આ વાત જરૂરથી તેમણે પહોંચાડી દેજો અને તેમણે કહેજો કે ધ્યાનથી કાન ખોલીને સાંભળી લે.''
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, ગુરુવારે બબીતા ફોગાટે લખ્યુ હતુ કે, ''કોરોના વાયરસ ભારતની બીજા નંબરની સૌથી મોટી સમસ્યા છે. જમાતી હજુ પણ કોઇ નંબર પહેલા પર જ છે'' અને આ સાથે જ બબીતાના આ ટ્વીટ પર સતત લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે.
કોણ છે ઝાયરા વસીમ
ADVERTISEMENT
કશ્મીરી મૂળ એક્ટ્રેસ ઝાયરા વસીમે 2016માં આમિર ખાનની ફિલ્મ દંગલથી બોલિવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ. જોકે અચાનક તેણે એક્ટિંગ છોડવાનો નિર્ણય કર્યો હતો અને કહ્યુ હતુ કે, ''એક્ટિંગમાં આવવાથી તેની જિંદગી બદલાઇ ગઇ. પૈસા અને લોકોનો પ્રેમ મળ્યો. જોકે આ બધુ તેણે નથી જોઇતું. ભલે અહીંયા ફિટ થવા છતાં અહીંયાની નથી.'' જોકે કહેવાઇ રહ્યુ છે કે, ધાર્મિક કારણસરને તેણે એક્ટિંગ છોડવાનો નિર્ણય લીધો હતો જે પછી ઝાયરાનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.