બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
VTV / ભારત / Will have to take vaccine against the new variant of Corona virus JN.1? Serum institute is in preparation
Megha
Last Updated: 12:22 PM, 22 December 2023
દેશમાં કોરોના વાયરસના નવા વેરિયન્ટ JN.1ના કેસ લગાતાર વધી રહ્યા છે અને તેણે લઈને અલગ અલગ રાજ્ય સરકાર તરફથી એડવાઇઝરી પણ જારી કરવામાં આવી છે. આ દરમિયાન બધાના મનમાં બસ એક જ સવાલ ઉઠી રહ્યો છે કે શું હવે આ નવા વેરિયન્ટ સામે પણ વેક્સિન લગાવવી પડશે?
સિરમ ઇન્સ્ટિટ્યૂટે વેક્સિન અંગે મોટી અપડેટ આપી
જણાવી દઈએ કે ભારતીય વેક્સિનની નિર્માતા કંપની સિરમ ઇન્સ્ટિટ્યૂટે આ વિશે એક મોટી અપડેટ આપી છે. આ વિશે સીરમનું કહેવું છે કે નવા વેરિઅન્ટ JN.1 સામે બનેલી રસી માટે લાયસન્સ માટે અરજી કરવાની તૈયારી ચાલી રહી છે અને ટૂંક સમયમાં ભારતના લોકોને નવી વેક્સિન મળશે.
નવી વેક્સિન ટૂંક સમયમાં મંજૂર થવાની આશા છે
મીડિયા રિપોર્ટ અનુસારમીડિયા અહેવાલો અનુસાર, સીરમના પ્રવક્તાએ કહ્યું કે 'અમે હાલમાં XBB1 વેરિઅન્ટ વેક્સિન ઓફર કરી રહ્યા છીએ જે યુએસ અને યુરોપમાં JN1 વેરિઅન્ટ જેવી જ છે. અમારો ઉદ્દેશ્ય આગામી મહિનાઓમાં ભારતમાં આ રસી માટે લાયસન્સ મેળવવાનો છે. અમે તેને લોકોને ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્ય સાથે નિયમનકારોને જરૂરી દસ્તાવેજો સબમિટ કરવાની તૈયારી કરી રહ્યા છીએ.'
એ વાતો જાણીતી છે કે સીરમ ઇન્સ્ટિટ્યૂટે અગાઉ ભારતમાં કોરોના સામે કોવિશિલ્ડ વેક્સિન બનાવી હતી. 1 જાન્યુઆરી, 2021 ના રોજ, ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ Oxford-AstraZeneca વેક્સિન (Covishield)ના કટોકટીના ઉપયોગને મંજૂરી આપી. આ રસીને 49 દેશોમાં મંજૂરી આપવામાં આવી છે.
એક રિપોર્ટ અનુસાર દેશમાં કુલ 2,669 સક્રિય દર્દીઓમાંથી, 45 દર્દીઓ 10 રાજ્યોની હોસ્પિટલમાં દાખલ છે અને એમની હાલત થોડી ગંભીર છે. તો તેની સામે 125 થી વધુ દર્દીઓ ઓક્સિજન સપોર્ટ વિના હોસ્પિટલમાં છે. પણ અંહિયા સૌથી મોટી રાહતની વાત એ છે કે 92.80 ટકા દર્દીઓ તેમના ઘરોમાં આઇસોલેશનમાં છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે કહ્યું કે ગઈકાલે દેશમાં કોરોના સંક્રમણને કારણે છ લોકોના મોત થયા છે. કેરળમાં ત્રણ, કર્ણાટકમાં બે અને પંજાબમાં એક દર્દીનું મોત થયું છે. તે જ સમયે ગઈકાલે 358 લોકો કોરોના સંક્રમિત જોવા મળ્યા હતા, જેના કારણે સક્રિય કેસની સંખ્યા 2,305 થી વધીને 2,669 થઈ ગઈ છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime