બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
VTV / Why not work beyond the civil papers dying from cattle? Why the gap between government policy-reality?
Vishal Khamar
Last Updated: 10:09 PM, 28 September 2023
કોઈપણ સરકારી કામ હોય તેનું સૌથી મોટુ ઉધારપાસુ એ છે કે સરકારી કામ મોટેભાગે ક્યારેય પણ કાગળથી આગળ વધતું નથી, અને નસીબજોગે કાગળથી તેનું કામ જો આગળ વધે ત્યાં સુધીમાં જે તે કામ કે કાયદાની અમલવારી અંગે બહુ મોડુ થઈ ગયું હોય છે. રખડતા ઢોરની સામે પાલિકાએ નિયંત્રણ પોલિસી અમલમાં મુકી છે જે કાગળ ઉપર બહુ સારી લાગે છે પરંતુ ધરાતલ પર સ્થિતિ મોટેભાગે જુદી છે. નિયમો આકરા બનાવ્યા છે પણ અમલવારી એટલી જ નબળી છે. રખડતા પશુની અડફેટે નાગરિકોનો ભોગ હજુ પણ લેવાય છે. માત્ર અમદાવાદ જ નહીં રાજ્યના અન્ય શહેરોમાં પણ યથાસ્થિતિ જ છે. નાગરિકોની ધીરજ ખૂટી ગઈ છે કે નહીં તેની તો ખબર નથી પરંતુ નાગરિકોને મરતા જોઈને ગુજરાત હાઈકોર્ટની ધીરજ ચોક્કસ ખૂટી ગઈ.
હાઈકોર્ટે ખુદ અમદાવાદ જેવા શહેરના વિસ્તારના નામ સાથે સરકાર અને પાલિકાને જણાવ્યું કે કયા વિસ્તારમાં રખડતા ઢોર બેકાબૂ છે. હાઈકોર્ટે આકરા શબ્દોમાં એવુ પણ કહ્યું કે અમે નાગરિકોને તમારી દયાના ભરોસે નહીં છોડી શકીએ અને જો તમારી પાસે અમલવારીની ક્ષમતા ન હોય તો અમે અમારી રીતે ઓર્ડર પાસ કરીએ. સરકારે હંમેશની જેમ પોતે લીધેલા પગલાનો કાગળ ઉપર ચિતાર આપી દીધો પણ આપણે સૌ જાણીએ છીએ કે આગળ હજુ પણ આ મુદ્દે પરિસ્થિતિ કેવી રહેશે.. સવાલ એ છે કે રખડતા ઢોરની અડફેટે નાગરિકોની જિંદગીનો ભોગ લેવાઈ રહ્યો છે ત્યારે સરકારને એવું કેમ નથી થતું કે આપણે આપણી કાર્યવાહીને કાગળથી આગળ લઈ જવી જોઈએ.
રાજ્યમાં રખડતા પશુના ત્રાસની ઘટનાઓ યથાવત છે. ભાવનગરમાં એક દિવસમાં રખડતા પશુથી બે વ્યક્તિના મૃત્યુ થયા હતા. તો જામનગરમાં પણ રખડતા પશુથી વૃદ્ધાનું મૃત્યુ થયું હતું. તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટે સરકાર અને AMCની ઝાટકણી કાઢી હતી. રખડતા પશુના ત્રાસ સામે સરકારની કામગીરીની ટીકા કરી હતી. નીતિઓ બને છે છતા અમલવારીમાં કચાશ રહી જાય છે. નાગરિકોના મૃત્યુ થાય છે અને કાર્યવાહી કાગળથી આગળ વધતી નથી.
ગુજરાત હાઈકોર્ટે શું કહ્યું?
સરકારની નીતિ અને વાસ્તવિકતા વચ્ચે ફેર છે. કેટલીક બાબતો હજુ લાગુ થવી જોઈએ જે નથી થઈ. અમદાવાદના અનેક વિસ્તારમાં રખડતા પશુની સ્થિતિ નિયંત્રણ બહાર છે. મણિનગર, નેહરુનગર, ઈસનપુર, અટીરામાં રખડતા પશુની સ્થિતિ કાબૂ બહાર છે. હાઈકોર્ટે નવસારી રેલવે સ્ટેશનની સ્થિતિનો પણ ઉલ્લેખ કર્યો. નડિયાદ નગરપાલિકાની હદમાં પણ રખડતા પશુનો મુદ્દો ચર્ચાયો છે. હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું અમે તમારી દયા ઉપર નાગરિકોને ન છોડી શકીએ. તંત્રની નીતિ કાગળ ઉપર જ રહે છે. હાઈકોર્ટે પૂછ્યું કાગળથી આગળ અમલવારી થશે કે કેમ તે સ્પષ્ટ કરો. હાઈકોર્ટે કહ્યું અરજદાર પાસે સૂચન હોય તો આપે બાકી અમે ઓર્ડર પાસ કરીશું.
રખડતા પશુથી મરતા નાગરિકો
ભાવનગર
જસદણ
જામનગર
ભાવનગર
AMCની ઢોર નિયંત્રણ પોલિસી શું છે?
પશુ માલિક વ્યક્તિગત ઉપયોગ માટે પશુ રાખે તો પરમીટ લેવી પડશે. તેમજ પશુના દૂધના વેચાણ કે પશુનો વ્યવસાયિક ઉપયોગ કરનારે લાયસન્સ લેવું પડશે. પરમીટ-લાયસન્સ 3 વર્ષ સુધી માન્ય રહેશે. 3 વર્ષ માટે લાયસન્સ ફી 500 રૂપિયા, પરમીટ ફી 250 રૂપિયા છે. મુદત પૂર્ણ થયાના એક મહિના પહેલા લાયસન્સ-પરમીટ રિન્યુ કરવા પડશે. પશુપાલકે રજીસ્ટ્રેશન ફી પેટે પશુ દીઠ 200 રૂપિયા ચુકવવાના થશે. પાંજરાપોળ, ગૌશાળા હોય તો લાયસન્સ લેવું પડશે, પણ ફી નહીં ભરવી પડે. બહારથી પશુ આવે તો એક મહિનામાં નોંધણી કરાવવી પડશે. શહેરમાં દરેક પશુને RFID ચીપ અને ટેગ લગાવવાનું રહેશે. 4 મહિના સુધી ચીપ કે ટેગ નહીં લાગે તો ઢોરને ડબ્બામાં પુરાશે. જગ્યા ન હોય તેવા પશુ માલિકે 2 મહિનામાં પશુ અન્યત્ર ખસેડવા. શહેરની કોઈપણ વ્યક્તિ કે સંસ્થાએ ઘાસના વેચાણ માટે લાયસન્સ-પરમીટ લેવી પડશે. રખડતા પશુથી જાન-માલનું નુકસાન થાય તો જવાબદારી પશુ માલિકની. જાન-માલથી નુકસાનના કિસ્સામાં ફોજદારી કાર્યવાહી થઈ શકશે. ત્રણ કે તેથી વધુ વખત પશુ પકડાશે તો કાયમી ધોરણે પશુ જપ્ત કરાશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime