બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / Politics / whatever is said in our manifesto is a guarantee not a promise congress leader rahul gandhi said in goa

રાજનીતિ / 'અમારા મેનિફેસ્ટોમાં જે પણ કહેવામાં આવ્યું છે તે ગેરંટી છે, વચન નથી, જાણો કયા નેતા કહ્યું આવું

ParthB

Last Updated: 03:29 PM, 30 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગોવામાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી કહ્યું કે, અમે છત્તીસગઢમાં ચૂંટણી લડ્યા અને ખેડૂતોની લોન માફ કરવાનું વચન આપ્યું અને અમે પુરુ કર્યું.

  • રાહુલ ગાંધીએ કહ્યું અમે ખેડૂતોને જે વચન આપ્યું હતું તે પુરુ કર્યું
  • મમતા બેનર્જી પણ 3 દિવસ માટે ગોવાની મુલાકાતે છે
  • TMC સાથે ગઠબંધન કરીને વિધાનસભા ચૂંટણી લડવા માંગે છે

રાહુલ ગાંધીએ કહ્યું અમે ખેડૂતોને જે વચન આપ્યું હતું તે પુરુ કર્યું

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પાર્ટીના કાર્યકર્તાઓ અને લોકોને મળવા માટે ગોવા પહોંચ્યા છે. તેમણે ગોવાના વેલ્સાઓમાં માછીમારી સમુદાયના સભ્યો સાથે વાતચીત કરી છે. અમે ગોવાને પ્રદુષિત સ્થળ નહીં બનાવ દઈએ એમ તેમણે કહ્યું હતું. અમે તેને કોલસાનું હબ નહીં બનવા દઈએ. અમે બધા માટે પર્યાવરણનું રક્ષણ કરીએ છીએ.ગોવામાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે છત્તીસગઢમાં ચૂંટણી લડ્યા અને ખેડૂતોની લોન માફ કરવાનું વચન આપ્યું અને અમે કર્યું. તમે પંજાબ, કર્ણાટક જઈને પણ આ વાતની પુષ્ટિ કરી શકો છો. અમારા મેનિફેસ્ટોમાં જે કંઈપણ છે તે ગેરંટી છે, વચન નથી.

CM મમતા બેનર્જી પણ 3 દિવસ માટે ગોવાની મુલાકાતે છે

રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના અન્ય વરિષ્ઠ નેતાઓએ મંગળવારે નવી દિલ્હીમાં 2022 માં પંજાબ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મણિપુરની સાથે ગોવામાં આગામી વિધાનસભાની ચૂંટણીઓ અંગે ચર્ચા કરવા માટે એક બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠકમાં સંભવતઃ ચૂંટણીની તૈયારી અંગે ચર્ચા કરવામાં આવી હતી. જણાવી દઈએ કે રાહુલ ગાંધીની મુલાકાત પહેલા તૃણમૂલ કોંગ્રેસ (TMC) સુપ્રીમો અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ ત્રણ દિવસ માટે ગોવાની મુલાકાતે છે.

TMC સાથે ગઠબંધન કરીને વિધાનસભા ચૂંટણી લડવા માંગે છે

ગોવા ફોરવર્ડ પાર્ટી (GFP)ના કાર્યકારી પ્રમુખ કિરણ કંડોલકરના રાજકીય નિવેદનને કારણે વિવાદ ઉભો થયો છે. કંડોલકરે તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીને 'દેવી દુર્ગા' અને રાજ્યની ભાજપ સરકારને 'ભસ્માસુર' ગણાવી છે. રાજ્યના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત તેમના નિવેદન પર ગુસ્સે થયા છે. GFP નેતા કંડોલકરે શનિવારે કહ્યું કે ગોવા ઈચ્છે છે કે દુર્ગાને પશ્ચિમ બંગાળથી અહીં લાવવામાં આવે અને આ ભસ્માસુર ભાજપ સરકારને હરાવે છે. તેમણે સ્વીકાર્યું કે તેમની પાર્ટી મમતા બેનર્જીના નેતૃત્વવાળી TMC સાથે ગઠબંધન માટે વાતચીત કરી રહી છે. તે TMC સાથે ગઠબંધન કરીને આવતા વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી લડવા માંગે છે.

ગોવાના સીએમએ આ નિવેદનની આકરી ટીકા કરી હતી.

ગોવાના સીએમ પ્રમોદ સાવંતે કંડોલકરના નિવેદનની આકરી ટીકા કરી છે. પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળની ચૂંટણીના પરિણામો બાદ મહિલાઓ પર અત્યાચાર કરનાર વ્યક્તિ સાથે દેવી શાંતા દુર્ગાની તુલના ગોવાના લોકો સહન કરશે નહીં.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ