બ્રેકિંગ ન્યુઝ
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
VTV / ગુજરાત / અમદાવાદ / રાજકોટ / અન્ય જિલ્લા / "We do not want begging from the government, if the case is not withdrawn then we will ...", statement of Patidar leader
Mehul
Last Updated: 10:15 PM, 14 November 2021
સૌરાષ્ટ્રના જસદણમાં પાટીદાર સમાજ એક મંચ થયો હતો. સામાજિક એક્યના ભાવ અને સમાજ ઉથ્થાનના નિર્ધાર સાથે નવી પેઢીમાં ગણતર સાથે ભણતરનો ભાવ પ્રકટે તેવી જ્યોત જલાવવા પાટીદાર સમાજ વરસોથી મહેનત કરી રહ્યો છે. જસદણમાં સમાજના વરિષ્ઠ આગેવાનો મંચસ્થ થયા હતા. ખોડલધામ મંદિરના ટ્રસ્ટી નરેશ પટેલએ મહત્વનું નિવેદન આપતા કહ્યું કે, આગામી ચૂંટણીમાં પાટીદાર સમાજ કોની સાથે છે તે સમય બતાવશે. પાટીદાર યુવકોના આંદોલન વેળાની વાતને યાદ કરતા તેઓએ કહ્યું કે, પાટીદારો પર કરવામાં આવેલા કેસો હજુ સુધી પરત ખેંચવામાં આવ્યા નથી અને તમામ કેસો પરત ખેંચવામાં આવે તે માટે સરકારમાં રજુઆત કરવામાં આવશે.
સરપંચથી સાંસદ પાટીદાર ;નરેશ પટેલ
જસદણમાં પાટીદાર સમાજના કાર્યક્રમમાં ખોડલ ધામના ટ્રસ્ટી અને પાટીદાર સમાજસેવી નરેશ પટેલએ સમાજની પ્રગતિથી દેશની પ્રગતિની વાત કરી,પાટીદાર સમાજનું સાર્વત્રિક પ્રભુત્વ કેળવાય તેવી વાત કરી હતી. તેમણે કહ્યું કે, છેલ્લા ચાર-પાંચ વર્ષમાં પાટીદાર સમાજના યુવાનોએ પોતાની શક્તિ દેખાડી દીધી છે. મંચ પર બેઠેલા હાર્દિક અને અલ્પેશ તરફ ઇશારો કરી તેમણે આ નિવેદન આપતા ઉમેર્યું કે, સમાજ જે સંગઠન ઇચ્છતો હતો તે યુવાનોએ કરી બતાવ્યુ છે,હું કોઈના અહીં નામ નથી લેતો.પણ સરપંચથી સાસંદ પણ પાટીદાર હોવો જોઇએ.અને ક્લાર્કથી લઈને કમિશનર - કલેક્ટર પણ પાટીદાર હોવો જોઇએ.એ આપની સામાજિક તાકાત બનશે. આપણો અધિકારી સારી જગ્યા પર બેસશે તો સમાજના કામ કરશે.આ માટે અધિકારીને સારી જગ્યાએ બેસાડવા સારા રાજકારણીની જરૂર પડશે. માટે એવા રાજકારણીઓ ચૂંટજો કે જે ખુરશી પર બેસીને સમાજ સામે જુએ.
ગીતા પટેલનું સરકારને 'અલ્ટીમેટમ'
તો આ જ મંચ પરથી પાટીદાર મહિલા નેતા ગીતા પટેલે પણ સ્ફોટક નિવેદન આપતા કહ્યું કે, નારેશ્ભાઈની વાતને મારું પૂરું સમર્થન છે. પાટીદાર આંદોલન સમયના કેસ હજુ પાછા નથી ખેંચાયા. અમે સરકાર પાસે ભીખ નથી માંગતા પણ અલ્ટીમેટમ આપીએ છીએ. જો કેસ પાછા નહિ ખેંચાય તો અમે પાવર બતાવીશું.
SPG અધ્યક્ષ લાલજી પટેલે ખખડાવ્યા ખાંડા
પાટીદાર સમાજના SPGના સંયોજક લાલજી પટેલે આ તકે ઉપસ્થિત રહીને બે મોટી અને મહત્વની માંગણીઓ સમાજ સાથે મળીને સરકાર પાસે મૂકી છે.પાટીદાર આંદોલન વેળા જે કઈ ઘટનાઓ ઘટી અને જે યુવકો મોતને ભેટ્યા હતા તેમના પરિવારોને નોકરી અને સમાજના યુવકો પર થયેલા કેસ પાછા ખેંચવાની વાતને દોહરાવી હતી. માગણીઓને છ-છ વર્ષથી પૂર્ણ કરવમાં નથી આવી.ત્યારે હવે પાટીદાર મુખ્યમંત્રી છે ત્યારે સમાજના વડીલોને સાથે રાખી રજૂઆત કરીશું. લાલજી પટેલે એક ગર્ભિત ઈશારો કરતા એમ પણ કહ્યું કે, માંગણીઓ સંતોષવામાં ન આવે તો આગામી ચૂંટણી પર અસર પડશે. તો વરુણ પટેલે પણ આહ્વાન કરતા કહ્યું કે, માંગણીઓ સંતોષવામાં ન આવે તો આગામી ચૂંટણી પર અસર પડશે. આંદોલનકારીઓ સમાજ માટે લડી રહ્યા છે
અગાઉ શું કહ્યું હતું નરેશ પટેલે ?
ઉલ્લેખનીય છે કે,ખોડલ ધામના ટ્રસ્ટી નરેશ પટેલે છ -સાત મહિના પહેલા ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીને લઈને ગુજરાતના મુખ્યમંત્રી પાટીદાર હોવા જોઈએ તેવી તીવ્ર લાગણી અને સુચિતાર્થ માંગણી કરી હતી. ધાર્મિક સ્થળેથી રાજનીતિક નિવેદનને લઈને ત્યારે ભારે-તર્ક વિતર્ક થયા હતા.ત્યાર બાદ રાજ્યમાં તખ્ત પલટાયો અને ગુજરાતને ભુપેન્દ્ર પટેલના રૂપમાં પાટીદાર મુખ્યમંત્રી મળ્યા છે.
મનમાં ફાકો હોય કે પાટીદાર સમાજ એક છે તો તેમા તથ્ય નથી: હાર્દિક પટેલ
જસદણના પાટીદાર સમાજના કાર્યક્રમમાં હાર્દિક પટેલે પાટીદાર સમાજને લઈને કરેલું નિવેદન ચર્ચાનો વિષય બન્યો છે. હાર્દિક પટેલે કહ્યું કે આજે ઘરનો ડાયરો છે,ઘરના લોકો છે તો એક વાત કરવી છે. આ સાથે હાર્દિકે જણાવ્યુ કે મનમાં ફાકો હોય કે પાટીદાર સમાજ એક છે તો તેમા તથ્ય નથી, ભેગા થવુ,ગ્રાઉન્ડમાં આવીને સાથે બેસવુ એ સંગઠિત થયા તેવુ નથી, પાટીદાર સમાજે માત્ર એક મેદાનમાં સંગઠિત નથી થવાનું પરંતુ સામાજિક અને રાજકીય રીતે સંગઠિત થવાનું છે. આ સાથે હાર્દિકે પાટીદાર આંદોલનને યાદ કરતા જણાવ્યું કે આંદોલન સમયે 1.25 કરોડ પાટીદારો અને 50 MLA હતા તેમ છતા આંદોલનના 4 વર્ષ બાદ ન્યાય મળ્યો તથા આંદોલનમાં 14 લોકો શહીદ થયા હતા. હાર્દિક પટેલે પાટીદાર ધારાસભ્યો તથા સાંસદોને અનુલક્ષીને કહ્યુ કે ગમે તેટલા MLA-MP હોય પણ જરૂરિયાત સમયે સાથે ન ઉભા રહે તો શું ફાયદો, જે સમાજનું હિત,ભવિષ્ય,પ્રગતિ નથી ઇચ્છતા તેઓને ફેંકી દેવા હાર્દિકે હુંકાર ભર્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime