બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Wall collapsed at 4 places in Gujarat today, 1 dead, 8 injured

કોણ જવાબદાર? / ગુજરાતમાં આજે એકસાથે 4-4 જગ્યાએ દિવાલ ધરાશાયી, એકનું મોત, 8 લોકો ઇજાગ્રસ્ત

Malay

Last Updated: 02:54 PM, 11 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે એક જ દિવસમાં 4-4 જગ્યાએ છત અને દિવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં એક શ્રમિકનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે કુલ 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

  • સુરત સચિન GIDCમાં દિવાલ ધરાશાયી
  • વંથલી કન્યા વિદ્યાલયની છત ધરાશાયી
  • મહીસાગર જિલ્લામાં વરસાદે મચાવી તબાહી
  • ખેડામાં વરસાદને લઈ સંરક્ષણ દિવાલ ધરાશાયી

ચાલુ ચોમાસાની સિઝનમાં મેઘરાજાએ સમગ્ર ગુજરાતમાં ભારે હેત વરસાવ્યું છે. વરસાદની સિઝનમાં મકાન ધરાશાયી થવાનો સિલસિલો ચાલું છે. આજના દિવસમાં મકાનોની દિવાલ, શાળાની છત, ફેક્ટરીની દિવાલ, સંરક્ષણ દિવાલ ધરાશાયી થવાની 4 ઘટનાઓ સામે આવી છે. જેમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે, જ્યારે 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે. સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટની દિવાલ ધરાશાયી થતાં એક શ્રમિકનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. 

સચિન GIDCમાં દિવાલ ધરાશાયી થતા એકનું મોત
સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર સેન્ટિંગનું કામ કરી રહેલા કામદારો પર એકાએક દિવાલ તૂટી પડતા ભાગદોડ મચી ગઇ હતી. જ્યાં ઘટના સ્થળે પહોંચેલી ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ચાર કામદારોનું રેસ્ક્યુ કર્યું હતું અને તમામને સારવાર અર્થે સુરત નવી સિવિલ અને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એક કામદારનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય બે શ્રમિકોની હાલત સુધારા પર છે, તો અન્ય એક કામદારની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. આ ઘટના અંગે સચિન GIDC પોલીસ દ્વારા આ મામલે અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

વંથલી કન્યા વિદ્યાલયની છત ધરાશાયી થઈ
જૂનાગઢની વંથલી કન્યા વિદ્યાલયની જર્જરિત છત ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં સ્કૂલની 4થી 5 વિદ્યાર્થિનીઓ ઈજાગ્રસ્ત થઈ હતી. જેથી તેઓને તાત્કાલિક સારવાર અર્થે વંથલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી. આ અંગેની જાણ થતાની સાથે જ વિદ્યાર્થિનીઓના વાલીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. આ દુર્ઘટના બાદ સ્કૂલની તમામ વિદ્યાર્થિનીઓ અને શિક્ષકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ વિદ્યાર્થિનીઓની સુરક્ષા સામે પણ સવાલ ઉભા થયા છે. 

મહીસાગર જિલ્લામાં 4 મકાનની દિવાલ ધરાશાયી 
મહીસાગર જિલ્લામાંથી એક સાથે 4 મકાનની દિવાલ ધરાશાયી થઈ છે. જોકે, સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. મળતી માહિતી અનુસાર, મહીસાગર જિલ્લામાં વરસાદે તબાહી મચાવી છે. જિલ્લાના ખાનપુર, બાલાસિનોર તાલુકામાં 4 મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી. બાલાસિનોરના સુતરીયા, માળના મુવાડા ગામે મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી જ્યારે ખાનપુરના ગાંધીયાના મુવાડા ગામે 2 મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી. જે બાદ ગ્રામજનો દ્વારા કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી. 

ખેડામાં સંરક્ષણ દિવાલ ધરાશાયી
ખેડામાં ધોધમાર વરસાદ પડતા મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આશરે રૂપિયા 2.62 કરોડના ખર્ચે બનાવવામાં આવેલી દિવાલ ધરાશાયી થઈ છે. નિલકંઠ મહાદેવ નજીક લકુમ્બા તળાવ કિનારે બનાવવામાં આવેલી દિવાલનું ભારે વરસાદને લઈને ધોવાણ થયું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ