લોકસભાની ચૂંટણીની મતગણતરી 23મી મેના રોજ થવાની છે. જેને લઈને આવતી કાલે મળનારી કેબિનેટ બેઠક મોકૂફ રાખવામાં આવી. મળતી માહિતી મુજબ કેબિનેટ બેઠક મોકૂફ હોવાથી તમામ મંત્રીઓ પોતાના મતવિસ્તારમાં જશે. અને મત ગણતરીની તૈયારીઓમાં જોડાશે. મહત્વનું છે કે,કેબિનેટ બેઠકનું દર બુધવારે આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વખતે લોકસભાની મતગણતરી 23મી મે ગુરૂવારે હોવાથી કેબિનેટ બેઠક મોકૂફ રાખવામાં આવી છે.