કોરોના વાયરસની આ જંગને પહોંચી વળવા માટે દેશભરમાં 3 મે સુધી લૉકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે જેથી સામાન્ય જનતાની સાથે સાથે બોલિવુડ-સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રીઝના સેલેબ્સ ઘરમાં છે અને સતત સોશ્યલ મીડિયા પર અપડેટ કરી રહ્યા છે.
સહેવાગે તે લોકો પર ગુસ્સો વ્યક્ત કર્યો છે જે લૉકડાઉન દરમિયાન બહાર ફરી રહ્યા છે
સહેવાગે એક ફોટો શૅર કર્યો છે જેમાં બોલિવુડ એક્ટર સૌરભ શુક્લા એક બોર્ડની સાથે ઉભા છે
આ દરમિયાન પૂર્વ ટીમ ઇન્ડિયાના વિસ્ફોટક ઑપનર બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગે એવા લોકો પર ગુસ્સો વ્યક્ત કર્યો છે જેઓ લૉકડાઉન દરમિયાન કામ વગર ઘરની બહાર ફરી રહ્યા છે. સહેવાગે શૅર કરેલા આ ફોટોમાં બોલિવુડ એક્ટર સૌરભ શુક્લા એક બોર્ડની સાથે ઉભેલા જોવા મળી રહ્યા છે.
સૌરભ શુક્લાએ જે બોર્ડ સાથે ઉભા છે તેના પર લખેલુ છે કે, ''ડિયર પૉલીસ, લૉકડાઉનમાં રોડ પર ફરતા લોકોને સજા આપવાની બદલે તેમને કોરોના પીડિત દર્દીઓની સેવામાં લગાવી દેવામાં આવે કારણ કે આ લોકોને વિશ્વાસ છે, કોરોના તેમનું કંઇ જ બગાડી શકશે નહી'' આ સાથે જ ક્રિકેટરે કેપ્શન લખ્યુ છે કે, ''વાત તો સટીક સાચ્ચી છે.''
ઉલ્લેખનીય છે કે, સૌરભ શુક્લા તરફથી આ ફોટો પોસ્ટ કરવામાં આવ્યો નથી અને આ અંગે કોઇ નિવેદન પણ આપવામાં આવ્યુ નથી, પરંતુ આ વાયરલ ફોટોને સોશ્યલ મીડિયા પર શૅર કરવાની સાથે સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસને કારણે તમામ સ્પોર્ટ્સ ઇવેન્ટ જેવી કે ઑલિમ્પિક, IPL,ફૂટબૉલ લીગ, ટેનિસ સાથે જોડાયેલી ટૂર્નામેન્ટ્સ પર અસર થઇ છે. કેટલીક ઇવેન્ટ્સ સ્થગિત કરવામાં આવી છે અને તો કેટલીક રદ્દ કરવામાં આવી છે.