કોરોના વાયરસને કારણે દુનિયાભરના ક્રિકેટ ટૂર્નામેન્ટ સ્થગિત થઇ ગયા છે, આ વચ્ચે ક્રિકેટર્સ પોતાના ઘરે સમય પસાર કરી રહ્યા છે. ક્રિકેટર્સ હાલમાં સોશ્યલ મીડિયાના પ્લેટફોર્મથી લાઇવ ચેટ કરી રહ્યા છે, આ વચ્ચે વિરાટ કોહલી અને સાઉથ આફ્રિકાની સ્ટાર ખેલાડી એબી ડિવિલયર્સ ઇન્સ્ટાગ્રામ લાઇવ વીડિયો ચેટના માધ્યમથી જોડાયા હતા.
આ ચેટમાં બંને ખેલાડીઓએ લોકોને કોરોના વાયરસથી સતર્કતા વધારવાની અને લૉકડાઉનનું પાલન કરવાની અપીલ કરી હતી. આ દરમિયાન એબી ડિવિલિયર્સે જણાવ્યુ કે, તેઓ પોતાના બેટ અને કિટને નીલામ કરશે, જેની મદદથી IPL 2016 માં વિરાટ કોહલીની સાથે મળીને સેન્ચુરી ફટકારી હતી.
એબી ડિવિલયર્સે જણાવ્યુ હતુ કે, આ નીલામીથી જે રકમ આવશે, તે કોરોનાથી લડવા માટે બનેલા રિલીફ ફંડમાં આપશે. નીલામીનો અડધો ભાગ તે સાઉથ આફ્રિકા અને ભારતમાં ડોનેટ કરશે.
તો બીજી તરફ ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી પણ સોશ્યલ મીડિયા પર શૅર કરતા જાણકારી આપી છે કે, ''તે પોતાનું બેટ અને ગ્લવ્સને નીલામ કરશે.'' વિરાટે આ ચેટમાં કીધુ હતુ કે તે આગળ પણ કોરોની સામે લડવા માટે મદદ કરશે.
ઉલ્લેખનીય છે કે, અનુષ્કા અને વિરાટે કોરોના સામેની જંગમાં સરકારની મદદ માટે આર્થિક સહાય પણ કરી છે. તેમણે પીએમ રિલીફ ફંડ અને મહારાષ્ટ્ર સીએમ રિલીફ ફંડમાં યોગદાન આપ્યું છે.