બ્રેકિંગ ન્યુઝ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
Vaidehi
Last Updated: 07:25 PM, 21 February 2023
અમેરિકા : માહિતી અનુસાર અહીં હેલીકોપ્ટર મારફતે જંગલી ગાયોને શૂટ કરવામાં આવશે. અમેરિકાનાં દક્ષિણ-પશ્ચિમી ન્યૂ મેક્સિકોમાં આ જંગલી ગાયોને મારવામાં આવશે. સરકારનાં સ્તરથી આવતાં ગુરુવારે શૂટરોથી ભરેલું હેલીકોપ્ટર વિશાળ અને ભીના વાઈલ્ડરનેસ જંગલમાં મોકલવામાં આવશે. તમામ શૂટરોની પાસે દૂરબીન હશે. દૂરબીનથી ગાયોને જોઈને તેમને શૂટ કરવામાં આવશે. અમેરિકી વન સેવાએ જંગલી ગાયોને મારવાની મંજૂરી પણ આપી દીધી છે.
જંગલી ગાયોને મારવા પર વિરોધ શરૂ
અધિકારીઓનું તર્ક છે કે જંગલી પશુઓ જંગલોને નુક્સાન પહોંચાડી રહ્યાં છે અને યાત્રિકોને પણ ઘાયલ કરી રહ્યાં છે. જો કે અમેરિકા વન સેવા અધિકારીઓએ આ નિર્ણયનો વિરોધ પણ શરૂ કરી દીધો છે. કહેવામાં આવી રહ્યું છે કે વન્ય જીવોને સીધું શૂટ કરવાની જગ્યાએ માનવતાભર્યું પગલું લેવું જોઈએ. આ ક્રૂરતા યોગ્ય નથી. આ પગલાં પર પુન:વિચાર કરવો જોઈએ.
ભારતમાં ગાયોને વિશેષ મહત્વ આપવામાં આવે છે. હિન્દૂ ધર્મમાં ગાયની પૂજા કરવામાં આવે છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે ગૌધન માત્ર નામ નથી, ગૌ એક અમૂલ્ય સંપત્તિ છે. તેનું સંરક્ષણ ઘણું જરૂરી છે. ગાયનાં છાણ અને દૂધ અતિ ગુણકારી હોય છે.
The US is to shoot and kill over 100 cows then leave their bodies to decompose.
— Urban Television (@UrbanTVUganda) February 20, 2023
This is after Authorities approved a plan for shooters carried by helicopter to kill dozens of cattle in New Mexico's Gila Wilderness, the U.S. Forest Service said this week.
1/2#UrbanUpdates pic.twitter.com/SuNiVE3EyP
ગાયનાં છાણનાં છે અનેક ફાયદા
ગાયનું છાણ ખેડૂતની ધરતી માટે અત્યંત લાભદાયી હોય છે. ખેતીમાં તેને અમૃતનાં સ્વરૂપે જોવામાં આવે છે. ભારતમાં ખેડૂતો ઓર્ગેનિક ખાતરનાં રૂપમાં પશુઓનાં છાણનો ઉપયોગ કરે છે. આ જ કારણે જમીન વધારે ફળદ્રુપ રહે છે.
દવામાં કામ આવે છે ગૌમૂત્ર
વિશેષજ્ઞોનું કહેવું છે ગૌમૂત્રનો પ્રયોગ ભારતમાં દવાઓનાં રૂપે કરવામાં આવે છે. આ પેટ માટે ઉપયોગી હોય છે. તો વાતાવરણમાં હાજર બેક્ટેરિયાનો પણ નાશ કરવાનું કામ કરે છે. જ્ઞાનીઓ કહે છે કે ગૌમૂત્રનું સેવન કરવાથી કેન્સર, ડાયાબિટીઝ અને અન્ય રોગોમાં પણ અસરકારક કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
ટેકનોલોજી / વોટ્સએપ સાથે આવું થશે તો તરત થઈ જશે બંધ, કોઈનું નહીં ચાલે, કંપનીએ આપી મોટી ધમકી
WhatsApp Account ban