બ્રેકિંગ ન્યુઝ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
VTV / ગુજરાત / અમદાવાદ / Transfer order of IAS officers released in Gujarat, 7 officers transferred including additional charge assigned to 4 of them, se
Vishal Khamar
Last Updated: 11:56 PM, 21 June 2023
ગાંધીનગર ખાતે ફરજ બજાવતા આઈએએસ અધિકારીઓને વધારાનાં ચાર્જ સાથે બદલી કરવામાં આવી છે. જેમાં કમલ દયાની, IAS સરકારના અધિક મુખ્ય સચિવ, મહેસૂલ વિભાગ, સચિવાલય, ગાંધીનગર (જેઓ સરકારના અધિક મુખ્ય સચિવ, સામાન્ય વહીવટ વિભાગ સચિવાલયના પદનો વધારાનો હવાલો પણ ધરાવે છે) જેઓને સરકારનાં મહેસૂલ વિભાગ, ગાંધીનગરના અધિક મુખ્ય સચિવના હોદ્દા પરથી બદલી કરવામાં આવી છે અને સરકાર, સામાન્ય વહીવટ વિભાગ (કર્મચારી)ના અધિક મુખ્ય સચિવ તરીકે સંપૂર્ણ નિમણૂક કરવામાં આવી છે.
મનોજ કુમાર દાસની સરકારના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમજ તેઓને આગામી આદેશો સુધી સરકાર, બંદરો અને પરિવહન વિભાગના અધિક મુખ્ય સચિવના પદનો વધારાનો હવાલો પણ સંભાળશે.
મોના કે. ખંધારની સરકાર, પંચાયતો, ગ્રામીણ ગૃહ નિર્માણ અને ગ્રામીણ વિકાસ વિભાગના અગ્ર સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમજ મનોજ કુમાર દાસ, IAS ને તે પદના વધારાના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. તેમજ મોના કે. ખંધાર આગળના આદેશો સુધી મહેસૂલ નિરીક્ષણ કમિશનર અને સરકારના મહેસૂલ વિભાગ, સચિવાલય, ગાંધીનગરના ભૂતપૂર્વ અગ્ર સચિવના પદનો વધારાનો હવાલો સંભાળશે.
અશ્વિની કુમારને સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, સચિવાલયના અગ્ર સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમજ આગામી આદેશો સુધી સરકાર, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, સચિવાલય, ગાંધીનગરના અગ્ર સચિવના પદનો વધારાનો હવાલો સંભાળશે.
અગ્ર સચિવ મનિષ ભારદ્વાજને CEO GSDMAનો વધારાનો હવાલો સોંપાયો છે. જ્યારે આરતી કંવરની ફાઇનાન્સ CEO તરીકે બદલી કરાઈ છે.
રાજકુમાર બેનિવાલની ગુજરાત મેરીટાઇમ બોર્ડના વાઇસ ચેરમેન-CEO તરીકે બદલી કરવામાં આવી છે. તેમજ કમિશ્નર મ્યુનિસિપાલિટીઝ તરીકે રાજકુમાર બેનિવાલ પાસે રહેશે વધારાનો ચાર્જ સોંપાયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
ટેકનોલોજી / વોટ્સએપ સાથે આવું થશે તો તરત થઈ જશે બંધ, કોઈનું નહીં ચાલે, કંપનીએ આપી મોટી ધમકી
WhatsApp Account ban