બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ધર્મ / This year Vasant Panchami will be celebrated on February 14

ધર્મ / વસંત પંચમીના દિવસે ભૂલથી પણ ન કરવા જોઈએ આ કામ, માં સરસ્વતી ગુસ્સે થઈ જશે

Pooja Khunti

Last Updated: 12:13 PM, 12 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિન્દુ પંચાંગ પ્રમાણે માઘ મહિનાની શુક્લ પક્ષની પાંચમનાં દર વર્ષે વસંત પંચમી ઉજવવામાં આવે છે. આ વર્ષે વસંત પંચમી 14 ફેબ્રુઆરીનાં દિવસે ઉજવવામાં આવશે.

  • માતા સરસ્વતીને કેસર અને રબડીનો ભોગ લગાવવો જોઈએ
  • આ દિવસે અમુક કામ ન કરવા જોઈએ
  • તમારે પીળા રંગના વસ્ત્રો ધારણ કરવા જોઈએ 

હિન્દુ ધર્મમાં દરેક પર્વ અને તહેવારનું વિશેષ મહત્વ છે. હાલ માઘ મહિનો ચાલી રહ્યો છે. આ મહિનામાં ઘણા વ્રત અને તહેવારો ઉજવવામાં આવે છે. હિન્દુ પંચાંગ પ્રમાણે માઘ મહિનાની શુક્લ પક્ષની પાંચમનાં દર વર્ષે વસંત પંચમી ઉજવવામાં આવે છે. આ વર્ષે વસંત પંચમી 14 ફેબ્રુઆરીનાં દિવસે ઉજવવામાં આવશે. ધાર્મિક માન્યતાઓ મુજબ આ દિવસે માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. આ દિવસને વસંત ઋતુની શરૂઆતનો દિવસ માનવામાં આવે છે. માતા સરસ્વતીની પૂજા કરવાથી જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે. જાણો, આ દિવસે માતા સરસ્વતીને કઈ વસ્તુનો ભોગ લગાવવો જોઈએ, શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. 

તમારી પ્રિય વસ્તુનો ભોગ લગાવો 
વસંત પંચમીનાં દિવસે તમારી પ્રિય વસ્તુનો ભોગ લગાવવો જોઈએ. આ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સાથે માતા સરસ્વતીને કેસર અને રબડીનો ભોગ લગાવવો જોઈએ. એવું માનવામાં આવે છે કે માતા સરસ્વતીને આ ખૂબ જ પ્રિય છે. તમે વસંત પંચમીનાં દિવસે કેસરવાળી ખીરનો પણ ભોગ લગાવી શકો છો. કેસર શુભ હોય છે અને ચોખા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. આ દિવસે તમે બેસનનાં લાડુનો પણ ભોગ લગાવી શકો છો. આવું કરવાથી તમને તમારી કારકિર્દીમાં સફળતા મળશે. 

વાંચવા જેવુ: ચાલી રહી છે પવિત્ર ગુપ્ત નવરાત્રી, 18 ફેબ્રુઆરી સુધી ભૂલથી પણ ના કરતાં આ 5 કામ

આ દિવસે અમુક કામ ન કરવા જોઈએ
માતા સરસ્વતીને વાણીની દેવી માનવામાં આવે છે. આ દિવસે ભૂલથી પણ ખરાબ વાણીનો ઉપયોગ ન કરવો જોઈએ. વસંત પંચમીનાં દિવસે માતા સરસ્વતીની પૂજા-અર્ચના કર્યા પછી બની શકે તો તમારે વ્રત રાખવું જોઈએ. આ દિવસે લસણ, ડુંગળી, દારૂ અને નોનવેજનું સેવન ન કરવું જોઈએ. આ દિવસે કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરતાં સમયે ખોટું ન બોલવું જોઈએ. 

વસંત પંચમીનાં દિવસે શું કરવું જોઈએ 
વસંત પંચમીનાં દિવસે માતા સરસ્વતીની પૂજા કરવી જોઈએ. આ દિવસે વિદ્યાર્થીઓએ વિધિ વિધાન મુજબ માતા સરસ્વતીની પૂજા કરવી જોઈએ. માતા સરસ્વતીની આરતી કરવી જોઈએ. તેમને ભોગ લગાવવો જોઈએ. આ દિવસે તમારે પીળા રંગના વસ્ત્રો ધારણ કરવા જોઈએ. વસંત પંચમીનાં દિવસે ગરીબ બાળકોને બુક અને ભણવાની વસ્તુઓ દાનમાં આપવી જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ