બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
Manisha Jogi
Last Updated: 04:13 PM, 16 March 2023
હિંદુ પંચાંગ અનુસાર દર વર્ષે ચૈત્ર માસની શુક્લ પક્ષની નવમીએ ભગવાન શ્રીરામનો જન્મોત્સવ ઊજવવામાં આવે છે. આ વર્ષે 22 માર્ચ 2023થી ચૈત્ર નવરાત્રી શરૂ થઈ રહી છે. ચૈત્ર નવરાત્રીના નવમા દિવસે ખૂબ જ ધામધૂમથી ભગવાન રામનો જન્મોત્સવ ઊજવવામાં આવે છે. ભગવાન રામના જન્મોત્સવ દરમિયાન મંદિરમાં ખૂબ જ ભીડ હોય છે અને વિધિ વિધાન સાથે ભગવાન રામની પૂજા અર્ચના કરવામાં આવે છે આ વર્ષે રામ નવમી ખૂબ જ ખાસ રહેશે. રામ નવમીના દિવસે અનેક પ્રકારના દુર્લભ યોગ બની રહ્યા છે, જેના કારણે આ વર્ષે રામ નવમીનું મહત્ત્વ ખૂબ જ વધી ગયું છે. રામ નવમીએ પૂજાનું મુહૂર્ત કયું છે અને શુભ યોગ વિશે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.
રામ નવમી શુભ યોગ 2023
આ વર્ષે રામ નવમીના દિવસે એક સાથે 5 પ્રકારના શુભ યોગ બની રહ્યા છે. આ પાંચ શુભ યોગમાં ગુરુ-પુષ્ય યોગ, અમૃત સિદ્ધિ યોગ, રવિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ અને ગુરુવારનો સંયોગ બની રહ્યો છે. રામનવમી પર બની રહેલ આ યોગમાં ભગવાન રામની પૂજા કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે અને તમામ પ્રકારના કાર્યોમાં સફળતા મળે છે. 30 માર્ચના રોજ રામનવમીએ પુષ્ય યોગ સવારે 10:59 વાગ્યે શરૂ થશે અને 31 માર્ચ 2023ના રોજ સવારે 6:13 વાગ્યે પૂર્ણ થશે. અમૃત સિદ્ધિ યોગની શરૂઆત 30 માર્ચના રોજ સવારે થશે. સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગ 30 માર્ચના રોજ પૂર્ણ થશે.
રામ નવમી શુભ મુહૂર્ત
હિંદુ પંચાંગ અનુસાર આ વર્ષે ચૈત્ર માસની શુક્લ પક્ષની નવમની તિથિ 29 માર્ચના રોજ રાત્રે 9:07 વાગ્યે શરૂ થઈ જશે અને 30 માર્ચના રોજ રાત્રે 11:30 વાગ્યે પૂર્ણ થશે. ભગવાન રામના જન્મોત્સવના અવસરે તેમની પૂજા માટે શુભ મુહૂર્ત 30 માર્ચના રોજ સવારે 11:17 વાગ્યાથી બપોરે 01:46 વાગ્યા સુધી રહેશે. 30 માર્ચના રોજ અભિજીત મુહૂર્ત બપોરે 12:01 વાગ્યાથી બપોરે 12:51 વાગ્યા સુધી રહેશે.
રામ નવમી પૂજા વિધિ
રામ નવમીના દિવસે સવારે સૌથી પહેલા ઉઠીને પૂજાનો સંકલ્પ લઈને પૂજા સ્થળ પર ભગવાન ગણેશની સ્તુતિ કરો. પૂજાની તમામ સામગ્રી એકઠી કરો. આ પૂજાની સામગ્રીમાં તુલસીનું પાન અને કમળનું ફૂલ હોવું જરૂરી છે. ત્યારબાદ વિધિ વિધાન સાથે પૂજાનો આરંભ કરો. ભગવાન રામની પૂજામાં તેમના ભોગમાં ખીર અને ફળનો પ્રસાદ જરૂરથી હોવો જોઈએ. ત્યારબાદ તમામ લોકોએ સાથે મળીને ભગવાન રામ, માતા જાનકી, લક્ષ્મણ અને હનુમાનજીની આરતી ઉતારવી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો