બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના અનેક મતદાન મથકો પર તંત્રની બેદરકારી,EVMમાં મત આપતા ફોટો-વિડીયો વાયરલ

logo

શક્તિસિંહ ગોહિલે બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઇ ઉઠાવ્યો વાંધો

logo

ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન

logo

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'

logo

AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું

logo

અખિલેશ યાદવે કહ્યું,'ભાજપે લોકોને પરેશાન કરવા જાણીજોઈને ઉનાળામાં મતદાન ગોઠવ્યું!'

logo

વડાપ્રધાન મોદીની મધ્યપ્રદેશમાં જાહેર રેલી, કહ્યું 'આ તો ટ્રેલર છે,હજુ ઘણું બાકી છે..'

logo

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન

logo

ગુજરાતમાં અનેક જગ્યાઓ પર મતદાન મથકમાં મોબાઈલ લઈ જવાના પ્રતિબંધના ધજાગરા ઉડ્યા

logo

દેશમાં 9 વાગ્યા સુધી 10.57 ટકા મતદાન નોંધા7

VTV / સ્પોર્ટસ / Cricket / 'This is my last World Cup...', Indian star player's big announcement before the start of cricket's biggest tournament

ક્રિકેટ / 'આ મારુ છેલ્લું વર્લ્ડ કપ છે...', ક્રિકેટની સૌથી ટૂર્નામેન્ટ શરૂ થતાં પહેલા ભારતીય સ્ટાર ખેલાડીનું મોટું એલાન

Megha

Last Updated: 09:17 AM, 1 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ODI વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થશે, આ પહેલા અક્ષર પટેલની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવેલ આર અશ્વિને પોતાના કરિયર અને વર્લ્ડ કપ પર મોટું નિવેદન આપ્યું છે.

  • 5 ઓક્ટોબરથી ભારતની ધરતી પર વર્લ્ડ કપ 2023 શરૂ થશે 
  • વર્લ્ડ કપની ટીમમાં પસંદ થયા બાદ અશ્વિને આપ્યું મોટું નિવેદન 
  • ભારત માટે આ મારો છેલ્લો વર્લ્ડ કપ હોઈ શકે છે - આર અશ્વિન

તમામ ક્રિકેટ ચાહકો 5 ઓક્ટોબરથી ભારતીય ધરતી પર શરૂ થવા કઈ રહેલા વર્લ્ડ કપ 2023ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બીસીસીઆઈએ 15 સભ્યોની ટીમ પણ ફાઈનલ કરી છે. પસંદગીકારોએ અક્ષર પટેલની જગ્યાએ રવિચંદ્રન અશ્વિનનો સમાવેશ કર્યો છે. વર્લ્ડ કપની ટીમમાં પસંદ થયા બાદ અશ્વિનના એક નિવેદને બધાને ચોંકાવી દીધા છે.

વર્લ્ડ કપની ટીમમાં પસંદ થયા બાદ અશ્વિને આપ્યું મોટું નિવેદન 
ICC વર્લ્ડ કપ 2023 5 ઓક્ટોબરથી શરૂ થશે, જેની પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. આ પહેલા તમામ ટીમો પ્રેક્ટિસ મેચ રમી રહી છે. શનિવારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રેક્ટિસ મેચ યોજાવાની હતી પરંતુ વરસાદને કારણે આ મેચ રદ કરવામાં આવી હતી. આ મેચ દરમિયાન ભારતના અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને પોતાના કરિયર અને વર્લ્ડ કપ પર મોટું નિવેદન આપ્યું છે.

ભારત માટે આ મારો છેલ્લો વર્લ્ડ કપ હોઈ શકે છે
રવિચંદ્રન અશ્વિને આગળ વાત કરતા કહ્યું કે,'હું સારી લયમાં છું અને આ ટૂર્નામેન્ટનો આનંદ લેવા માંગુ છું. ભારત માટે આ મારો છેલ્લો વર્લ્ડ કપ હોઈ શકે છે, તેથી મારા માટે આખી ટૂર્નામેન્ટનો આનંદ માણવો મહત્વપૂર્ણ છે. વર્લ્ડ કપ ટીમમાં તેની અચાનક પસંદગી અંગે અશ્વિને કહ્યું કે, 'જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવે છે. સાચું કહું તો મેં વિચાર્યું ન હતું કે હું વર્લ્ડ કપમાં ટીમ સાથે હાજર રહીશ. સંજોગોએ સુનિશ્ચિત કર્યું કે હું આજે અહીં છું, ટીમ મેનેજમેન્ટ અને કેપ્ટન રોહિત શર્માએ મારામાં વિશ્વાસ દર્શાવ્યો. તે માટે હું તેમનો આભાર માનું છું.'

અક્ષરની જગ્યાએ અશ્વિનને સ્થાન મળ્યું 
જ્યારે ભારતીય પસંદગીકારોએ અગાઉ વર્લ્ડ કપ 2023 માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી, ત્યારે તેઓએ તેમાં રવિચંદ્રન અશ્વિનનો સમાવેશ કર્યો ન હતો. પરંતુ, જ્યારે ટીમને અંતિમ સ્વરૂપ આપવાની વાત આવી, ત્યારે તેઓએ અક્ષરની જગ્યાએ 15 સભ્યોની ટીમમાં અશ્વિનનો સમાવેશ કર્યો, એશિયા કપ 2023 દરમિયાન પટેલને ઈજા થઈ હતી, જેના કારણે તે આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો.

આંકડાઓની વાત કરીએ તો રવિચંદ્રન અશ્વિને ODI ફોર્મેટમાં રમાયેલા વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારત માટે 10 મેચ રમી છે, જેમાં તેણે 2015માં રમાયેલા વર્લ્ડ કપમાં છેલ્લી મેચ રમી હતી. આ ટૂર્નામેન્ટમાં અશ્વિને 24.88ની એવરેજથી 17 વિકેટ લીધી છે.
=

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ