ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / these vastu tips in mind while making temple in home

ઘર્મ / ઘરમાં મંદિર હોય તો આ વાત ખાસ જાણી લૉ, જીવનમાં આવશે સુખ-સમૃદ્ધિ

Published By: ParthB

Last Updated: 03:52 PM, 28 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં મંદિરનું નિર્માણ યોગ્ય દિશામાં હોવું ખૂબ જ જરૂરી છે. ખોટી દિશામાં મંદિર બનાવવા અથવા પૂજા સ્થાન બનાવવાથી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

ADVERTISEMENT

  • પૂજા ઘર માટે સૌથી વધુ સારી દિશા ઈશાન છે.
  • પૂજા ઘરમાં ક્યારેય પણ મૂર્તિઓ એકબીજાની સામે ન રાખવી જોઈએ
  • પૂજા ઘરમાં પૈસા અને કીમતી વસ્તુઓને ક્યારેય છુપાવવી જોઈએ નહીં.

પૂજા ઘર માટે સૌથી વધુ સારી દિશા ઈશાન છે.

જ્યાં બેસીને પૂજા કરવામાં આવે છે તે જગ્યા પણ જમીનથી થોડી ઉંચી હોવી જોઈએ અને આસન મૂક્યા વગર પૂજા ન કરવી જોઈએ. પૂજા ઘર માટે સૌથી વધુ સારી દિશા ઈશાન છે. એટલે કે પૂજા સ્થળ ઉત્તર-પૂર્વ દિશામાં બનાવવું જોઈએ. વાસ્તુના સિદ્ધાંતોથી વિપરીત બનાવેલા પૂજા ઘર પરેશાનીઓનું કારણ બની શકે છે.

જાણો મંદિર સંબંધિત કેટલીક વાસ્તુ ટિપ્સ...

-પૂજા ઘરનો દરવાજો ઉંચો બનાવવો જોઈએ. સવારે પૂજા ખંડમાં સૂર્યપ્રકાશના આગમન માટે વ્યવસ્થા કરવી જોઈએ.
-પૂજા ખંડમાં હવાના પ્રવાહને સંતુલિત બનાવવા માટે બારી હોવી જોઈએ. પૂજા ખંડના દરવાજા પર માંગલિક ચિહ્નો, (સ્વસ્તિક, ઓમ,) વગેરે સ્થાપિત કરવા જોઈએ.
-દક્ષિણમાં કાલી માની મૂર્તિનું મુખ શુભ માનવામાં આવે છે.
-હનુમાનજીની મૂર્તિનું મુખ દક્ષિણ-પશ્ચિમમાં રાખવું શુભ છે.
-પૂજા ઘરમાં શ્રી યંત્ર, ગણેશ યંત્ર અથવા કુબેર યંત્ર રાખવું શુભ હોય છે.
-ઘરમાં પૂજાનું સ્થાન હંમેશા મકાનની ઉત્તર કે પૂર્વ દિશામાં બનાવવું જોઈએ.
-પૂજા ઘરમાં ક્યારેય પણ મૂર્તિઓ એકબીજાની સામે ન રાખવી જોઈએ.
-દેવી-દેવતાઓના ચિત્રો અથવા મૂર્તિઓ ક્યારેય ઉત્તર અને દક્ષિણની દિવાલોની નજીક ન હોવી જોઈએ.
-જો તમે તમારા પૂજા ઘરમાં હવન કુંડ બનાવવા માંગો છો, તો તેને હંમેશા અગ્નિ ખૂણામાં બનાવો.
-પ્રાચીન મંદિરમાંથી લાવેલી મૂર્તિ પૂજા ઘરમાં ન રાખવી જોઈએ.
-ધન અને અન્નની પ્રાપ્તિ માટે પૂજા ઘરમાં પૂર્વ દિશામાં મુખ રાખીને પૂજા કરવી જોઈએ.
-પૂજા ઘરમાં પૈસા અને કીમતી વસ્તુઓને ક્યારેય છુપાવવી જોઈએ નહીં.
-પૂજા ઘર હંમેશા સ્વચ્છ અને શુદ્ધ રાખવું જોઈએ અને ત્યાં ક્યારેય કોઈ અપવિત્ર વસ્તુ ન રાખવી જોઈએ.
-તમારા ઘરની ઉત્તર-પૂર્વમાં સ્થિત મંદિરની પાસે ઝાડુ કે ડસ્ટબીન ન રાખવું જોઈએ.
-પૂજા ઘરની સફાઈ કરવા માટે હંમેશા અલગ મોપનો ઉપયોગ કરવો જોઈએ.

સંકળાયેલા મુદ્દાઓ

temple in home vastu tips vastu tips for Home ગુજરાતી ન્યૂઝ પૂજા ઘર વાસ્તુ ટિપ્સ વાસ્તુશાસ્ત્ર Vastu Tips

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ