બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / The reaction of Khodaldham Trust came to light on the issue of Brahma Swarup Swami's statement

વિવાદિત સ્વામી / મા પર ટિપ્પણી થતાં લેઉઆ પટેલ સમાજ લાલઘૂમ: ખોડલધામ બાદ કાગવડ ધામે પણ આપી સ્પષ્ટ ચેતવણી

Dinesh

Last Updated: 08:47 PM, 12 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Brahmaswarup Swami statement : બ્રહ્મસ્વરૂપ સ્વામીના ખોડીયાર માતા પરના આપત્તિજનક ટિપ્પણી મામલે ખોડલધામના પ્રવક્તા હરસુખ કહ્યું કે, બ્રહ્મસ્વરૂપસ્વામી પોતાના નિવેદન અંગે સ્પષ્ટતા કરે

 

  • ખોડિયાર માં વિશે વિવાદિત નિવેદનનો મામલો
  • સમગ્ર મામલે લેઉવા પાટીદાર સમાજ લાલઘૂમ
  • 'સ્વામિનારાયણ સંતો આવા નિવેદન આપવાથી બચે'

સાળંગપુર હનુમાનજી મંદિરના ભીંતચિત્રો મુદ્દે વિવાદનો સુખદ નિર્ણય તો આવી ગયો છે. પરંતુ ધાર્મિક લાગણી દુભાવતા નિવેદનોનો અંત આવ્યો નથી. ફરી એકવાર સ્વામિનારાયણ સંતોનો વાણી-વિલાસ સામે આવતા ધાર્મિક મુદ્દો ગરમાયો છે. સ્વામી બ્રહ્મ સ્વરૂપે ખોડિયાર માતાજી વિશે બફાટ કરતા પાટીદાર સમાજ મેદાને આવ્યું છે, બ્રહ્મ સ્વરૂપ સ્વામીના નિવેદન મુદ્દે ખોડલધામ ટ્રસ્ટની પ્રતિક્રિયા પણ સામે આવી છે. 

પાટીદાર સમાજ લાલઘૂમ
અત્રે જણાવી દઈએ કે, બ્રહ્મસ્વરુપ સ્વામીના વાઇરલ વીડિયો બાદ સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે વિરોધ નોંધાઈ રહ્યો છે. ત્યારે પાટીદાર સમાજમાં પણ ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. બ્રહ્મસ્વરૂપ સ્વામીના વીડિયો પર લેઉવા પાટીદાર સમાજ લાલઘૂમ થયો છે. જે સમગ્ર મામલે ખોડલધામના પ્રવક્તા હરસુખ લુણાગરિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, બ્રહ્મસ્વરૂપ સ્વામીના વીડિયોથી સમાજની લાગણી દૂભાઇ છે. બ્રહ્મસ્વરૂપ સ્વામીએ પોતાના નિવેદન અંગે સ્પષ્ટતા કરે તેમજ ખોડિયાર માતાને અનેક સમાજના કુળદેવી છે. લુણાગરિયાએ વધુમાં કહ્યું કે, સ્વામિનારાયણ સંતો આવા નિવેદન આપવાથી બચે. બ્રહ્મસ્વરૂપ સ્વામીએ ખોડિયાર માતા પર આપત્તિજનક ટિપ્પણી કરી છે, આવુ કરનારા પોતે સાબીત કરે છે કે પોતે ધર્મને લાયક નથી

ખોડલધામની પ્રતિક્રિયા
સમગ્ર મામલે કાગવડ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં જણાવ્યું છે કે, ખોડલ પ્રત્યે સર્વ સમાજના શ્રદ્ધાળુઓ આસ્થા ધરાવે છે. ત્યારે મા ખોડલ વિશે તાજેતરમાં સ્વામીનારાયણ સપ્રદાયના સ્વામીએ કરેલી વિવાદિત ટિપ્પણીથી મા ખોડલના ભક્તોની લાગણી દુભાઈ છે. ત્યારે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ  આ અંગે નિવેદન આપે છે કે, આ પ્રકારની વિવાદિત ટીપ્પણી કરીને મા ખોડલના ભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડવામાં ન આવે અને ભવિષ્યમાં આ પ્રકારની વિવાદિત ટિપ્પણી ન કરવા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવે છે. 

રાજભા ગઢવીનું નિવેદન
સ્વામી બ્રહ્મસ્વરૂપના ખોડિયાર માતાજીના વિવાદિત નિવેદન બાદ રાજભા ગઢવીનું નિવેદન સામે આવ્યું છે.  રાજભા ગઢવી લોક ડાયરામાં સનાતનીઓને જાગવાની વાત કરી છે. તેમણે કહ્યું કે, કુળદેવી, સુરાપુરા અને ઇષ્ટદેવથી દૂર કરવાની વાત કરનારની બોચી પકડો. હવે આપણે આ તૈયારી કરવી પડશે, ક્યા સુધી આપણે સહન કરીશુ. વધુમાં રાજભાએ કહ્યું કે, માતાજીએ રાક્ષસોને હણ્યા છે હવે તમારો વારો છે ખોડિયાર માતા વિશે બોલનારાઓને અને કુળદેવીથી દૂર કરનારાઓને માતાજી નાશ કરશે 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ