બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / The mercury of heat will rise again in Gujarat the temperature may reach over 40 degrees
Last Updated: 11:05 AM, 24 April 2024
રાજ્યમાં ફરી લોકોએ કાળઝાળ ગરમીનો સામનો કરવો પડી શકે છે. રાજ્યનાં તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થશે. તેમજ રાજ્યમાં મોટા ભાગનાં વિસ્તારમાં 39 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. વીવી નગરમાં સૌથી વધુ 40.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે રાજકોટમાં 39.7 અને અમદાવાદમાં 39.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી દિવસોમાં હજુ પણ ગરમી વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ADVERTISEMENT
સિવિલ હોસ્પિટલમાં હીટ સ્ટ્રોક વોર્ડ ઉભો કરાયો
કાળઝાળ ગરમીનાં પગલે હીટ સ્ટ્રોકનાં કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. જેના પગલે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હીટ સ્ટ્રોક વોર્ડ પણ ઉભો કરાયો છે. ર્ડાક્ટરોનાં દ્વારા વૃદ્ધો અને બાળકોને બપોરનાં સમયે બહાર ન નીકળવા સૂચન કરવામાં આવ્યું છે.

ADVERTISEMENT
ઉનાળાની ગરમીમાં લૂ લાગવા (હિટ સ્ટ્રોક) થી રક્ષણ મેળવવાનાં આરોગ્યલક્ષી ઉપાયો
ઘરની બહાર હોવ ત્યરે માથાનો ભાગ કપડા, છત્રી કે ટોપીથી ઢાંકી રાખો
વજનમાં હળવા હોય તેવા સુતરાઉ વસ્ત્રો પહેરો
તરસ ન લાગે છતાં પર્યાપ્ત માત્રામાં પાણી પાવાનો આગ્રહ રાખો
આંખોનાં રક્ષણ માટે સન ગ્લાસીસ અને લીંબુ પાણી, ભાતનું ઓસામણ, નાળિયેર પાણી સહિતનાં પીણાંનું સેવન કરો
ગરમી સામે રક્ષણ માટે પ્રાથમિક સારવાર અંગે તાલીમ લેવી
બાળકો, વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓએ વિશેષ કાળજી રાખવી
ADVERTISEMENT
આટલું કરશો
બપોરનાં 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી તડકામાં ન જવું, ઉઘાડા પગે બહાર ન જવું
બપોરનાં સમયે બહાર હોય ત્યારે શ્રમ પડે તેવી પ્રવૃતિ ન કરવી
બપોરનાં સમયે રસોઈ કરવાનું ટાળો અને રસોડાનાં બારી અને બારણાં ખુલ્લા રાખો
શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘડાટે તેવા ચા, કોફી કે સોફ્ટ ડ્રિંક ન લેવા
પ્રોટીનની વધુ માત્રા હોય તેવા મસાલેદાર, તળેલા, વધુ પડતા મીઠાવાળા આહાર ન લેવા
ADVERTISEMENT
થોડી વધુ સાવચેતી
શક્ય હોય ત્યાં સુધી ઘરમાં જ રહો
ઘરગથ્થુ ઉપાય જેવા કે કાચી કેરી સાથે ડુંગળીમાં ધાણાજીરૂ નાંખેલું કચુંબર "લૂ" સામે રક્ષણ આપે છે.
સૂક, પાંદડા, ખેતીનો કે અન્ય કરચો બાળશો નહીં.
ઊર્જા કાર્યદક્ષ સાધનો, શુક્ર, બળતણ અને ઊર્જાનાં વૈકલ્પિક સ્ત્રોતનો ઉપયોગ કરવો
વધુ વાંચોઃ ઉમેદવારી નોંધાવતા પહેલા લોકસભાના હોદ્દેદારો સાથે અમિત શાહની આજે બેઠક, CR પાટીલ સહિત દિગ્ગજો ભરશે ફોર્મ
ADVERTISEMENT
વધુ વાંચોઃ ગેસ ગળતરના લીધે બનાસકાંઠામાં 3 શ્રમિકોના મોત, કૂવામાં કામ કરતા ગૂંગળામણથી બની દુર્ઘટના
ખેડૂતો અને પશુપાલકોએ નીચે મુજબની સાવચેતી રાખવી
ADVERTISEMENT
વહેલી સવારે અથવા સાંજે સિંચાઈ કરો
પાકનાં વિકાસનાં મહત્વનાં સ્તરે સિંચાઈની માત્રા વધારો
નિંદામણ કરીને જમીનનાં ભેજનું પ્રમાણ જાળવો
પશુઓને છાંડામાં રાખો અને તેમને શુદ્ધ અને ઠુંડું પાણી પુષ્કળ પ્રમાણમાં આપો
પશુઓને સવારનાં 11 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી બહાર કાઢવાનું ટાળો.
મરઘા ઉછેર કેન્દ્રમાં પડદા લગાવો અને હવા-ઉજાસની યોગ્ય વ્યવસ્થા કરો.
પશુઓને આહારમાં લીલી ચારો આપો અને પ્રોટીન ચરબી વગરનો તથા ખનીજ દ્રવ્ય યુક્ત ખોરાક આપો.
પશુઓનાં આશ્રય સ્થાનમાં પંખા લગાવો, પાણીનો છંટકાવ કરો તેમજ આશ્રય સ્થાનને છાણ, માટી અથવા સફેદ રંગથી રંગો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.